બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:04 PM, 5 October 2025
જાપાન, જે તેની તકનીકી પ્રગતિ, અનુશાસન અને સમર્પિત કાર્યસંસ્કૃતિ માટે વિશ્વમાં જાણીતું છે, ત્યાંથી એક અનોખી અને પ્રેરણાદાયી વાર્તા સામે આવી છે. 56 વર્ષીય કોઈચી મત્સુબારા, જેને સ્થાનિક મીડિયાએ 'અદૃશ્ય કરોડપતિ' કહ્યા છે, તેમની પાસે ભાડાની મિલકતો અને રોકાણોમાંથી વાર્ષિક 3 કરોડ યેન (લગભગ 1.83 કરોડ રૂપિયા)ની આવક છે. તેમ છતાં તેઓ ટોક્યોમાં એક રહેણાંક ભવનમાં પાર્ટ-ટાઇમ ચોકીદાર તરીકે કામ કરે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અને જાપાની મીડિયા 'ધ ગોલ્ડ ઓનલાઈન'ની રિપોર્ટ મુજબ, આ વાર્તા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકોને તેમની સાદગી અને જીવનદર્શન વિશે વિચારવા મજબૂર કરી રહી છે. મત્સુબારાની આ પસંદગી આર્થિક જરૂરિયાતને કારણે નહીં, પરંતુ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે છે.
ADVERTISEMENT

કેવી રીતે શરૂ થયું આ જીવન?
ADVERTISEMENT
મત્સુબારાનું બાળપણ એકલા માતા સાથે સાદું અને મર્યાદિત સાધનો વાળા માહોલમાં વીત્યું હતું. સેકન્ડરી સ્કૂલ પૂરી કર્યા બાદ તેમણે એક ફેક્ટરીમાં કામ શરૂ કર્યું, જ્યાં તેમની માસિક આવક માત્ર 1.8 લાખ યેન (લગભગ 1.08 લાખ રૂપિયા) હતી. ઓછી આવક હોવા છતાં તેમણે ખર્ચ પર નિયંત્રણ રાખીને 30 લાખ યેન (લગભગ 18 લાખ રૂપિયા) બચાવ્યા. આ રકમથી તેમણે પોતાની પ્રથમ સ્ટુડિયો ફ્લેટ ખરીદી, જ્યારે જાપાનનું હાઉસિંગ માર્કેટ આજ કરતાં સસ્તું હતું. ધીમે ધીમે તેમણે વધુ મિલકતો ખરીદી અને રોકાણો કર્યા. આજે તેમની પાસે ટોક્યો અને તેની આસપાસની સાત ભાડાની ફ્લેટ્સ છે, તેમજ શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણો. આ બધાથી તેમને નિષ્ક્રિય આવક મળે છે, જેથી કામ કરવાની કોઈ આર્થિક જરૂરિયાત નથી.
ચોકીદારીની પસંદગીનું કારણ
ADVERTISEMENT
હાલમાં મત્સુબારા હફ્તામાં માત્ર ત્રણ દિવસ, દરરોજ 4 કલાકની શિફ્ટ કરે છે. આ કામ માટે તેમને માસિક 1 લાખ યેન (લગભગ 56,000 રૂપિયા) મળે છે, જે ટોક્યોની સરેરાશ માસિક પગાર 3.5 લાખ યેનથી નોંધપાત્ર રીતે ઓછી છે. તેમ છતાં તેઓ કહે છે, "આ કામથી મને સંતુલિત અને સ્વસ્થ જીવનનો અનુભવ થાય છે." તેઓ ભવનની સફાઈ, જાળવણી અને રહેવાસીઓ માટે વાતાવરણ સુધારવામાં આનંદ અનુભવે છે. તેમનું કહેવું છે કે વિશાળતા અને ફુજૂલખર્ચી કરતાં સાદગી તેમને વધુ ખુશી આપે છે. તેઓ 10 વર્ષથી નવા કપડાં ખરીદ્યા નથી અને પોતાનું ભોજન પોતે બનાવે છે. આ લાઈફસ્ટાઈલ તેમને માનસિક શાંતિ અને શારીરિક સક્રિયતા આપે છે.

ADVERTISEMENT
'અદૃશ્ય કરોડપતિ'નું રહસ્ય
જાપાની મીડિયાએ તેમને 'અદૃશ્ય કરોડપતિ' કહીને ઓળખાવ્યા છે, કારણ કે તેઓ તેમની સંપત્તિને છુપાવીને સામાન્ય જીવન જીવે છે. તેઓ કહે છે, "મારી પાસે પૈસા છે, પરંતુ જો હું માત્ર આરામ કરું તો મને સારું ન લાગે. કામથી મને માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી મળે છે." 60 વર્ષની વયે પેન્શન લેવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ તેઓ દરરોજ કંઈક કરવા માંગે છે. આ વાર્તા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જ્યાં એક યુજર્સએ કહ્યું, "એક અદૃશ્ય કરોડપતિ તમારી આસપાસ હોઈ શકે છે." અન્યે કહ્યું, "સફાઈ કરવી માનસિક ઉપચાર અને વ્યાયામ જેવી છે."
ADVERTISEMENT
વધુમાં વાંચો: મફતની માથાકુટ! ફ્રી પિત્ઝાની જાહેરાત થતા અમદાવાદીઓ આધારકાર્ડ લઇને લાઇનમાં ઉભા રહ્યા
મત્સુબારાની વાર્તા આજની યુવા પેઢી માટે મહત્વની છે, જે ઘણીવાર ફુજૂલખર્ચી અને દેખાડામાં ફસાઈ જાય છે. તેમણે બચત અને રોકાણને પ્રાધાન્ય આપીને કરોડપતિ બન્યા, પરંતુ વિનમ્રતા જાળવી રાખી. આ વાર્તા બતાવે છે કે સાચી ખુશી પૈસામાં નહીં, પરંતુ સંતોષ, સાદગી અને મહેનતમાં છે. જાપાન જેવા અનુશાસિત દેશમાં આવી વાર્તાઓ વિશ્વને જીવનના સાચા મૂલ્યો યાદ અપાવે છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.