બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Why is there confusion about the candidates in Congress? Rishikesh Patel reacted
Last Updated: 11:30 AM, 4 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ તરફ હવે કોંગ્રેસે અમુક સીટો પર હજી સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. આ દરમિયાન વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ(Rishikesh Pate)નું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઋષિકેશ પટેલે કહ્યું છે કે, કોંગ્રેસ(Congress)ને ઉમેદવાર મળતો નથી અને છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે.
ADVERTISEMENT
મહેસાણા લોકસભા બેઠક(Mehsana Lok Sabha Seat) અને વિજાપુર વિધાનસભા (Vijapur Vidhansabha)ની પેટા ચુંટણી માટે કોંગ્રેસ (Congress) દ્વારા હજી સુધી ઉમેદવાર જાહેર નથી કારાયા. આ મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી તેમજ છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે તેમ જણાવ્યું હતુ. કોંગ્રેસમાં સશકત વિચારધારા અને વિચારશક્તિ નથી તેમ કહી કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. ઋષિકેશ પટેલે કહ્યું છે કે, છેલ્લા દિવસે ખાનું ખાલી તો નહિ રાખે કોંગ્રેસ.
ADVERTISEMENT
આ સાથે ઋષિકેશ પટેલે કહ્યું કે, મહેસાણા લોકસભા (Lok Sabha Election 2024) અને વિજાપુર વિધાનસભામાં કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી. આ સાથે તેમણે કહ્યું કે, છેલ્લા દિવસે ખાનું ખાલી તો નહિ રાખે કોંગ્રેસ. કોઈકને કોઈકનું નામ તો ભરશે જ કોંગ્રેસ. તેમણે ઉમેર્યું કે, અત્યારે ચાલી રહેલા મોદી સાહેબના વંટોળમાં કોંગ્રેસ ક્યાંય દેખાશે નહિં. તેમણે કહ્યું કે, સશક્ત વિરોધ પક્ષ હોવો જોઈએ. સશક્ત વિચારધારા અને વિચારશક્તિ પણ હોવી જોઈએ જે કોંગ્રેસમાં નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.