બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઊંઘ નથી આવતી? રાતે સુતા પહેલાં પગે પહેરી લેજો આ ચીજ, તરત ઘસઘસાટ ઊંઘમાં
Last Updated: 12:15 AM, 26 December 2025
શિયાળામાં ધાબળામાં લપ્પાઈને સુવાની અલગ જ મઝા છે. જેમાં ઘણા લોકો જેકેટ અને પગમાં મોજાં પહેરીને ઊંઘતા હોય છે. આમ જોઈએ તો રાત્રે મોજાં પહેરવાથી શરીરનું તાપમાન ઘટે છે જે ઊંઘ માટે નેચરલ સિગ્નલનું કામ કરે છે. તો ચાલો જાણીએ કે, પગના મોજાં ખરેખર ઊંઘને અસર કરે છે કે પછી તે માત્ર એક ટ્રેન્ડ છે?
ADVERTISEMENT
એક્સપર્ટ અને સ્ટડી સૂચવે છે કે, પગમાં મોજાં પહેરીને સૂવાથી શરીરમાં અમુક ફેરફારો થાય છે જે તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. જેમાં ગરમ પગ રક્તવાહિનીઓને ફેલાવે છે, શરીરનું તાપમાન ઘટાડે છે. તમારા શરીરનું તાપમાન તમારા સર્કેડિયન રીધમ સાથે જોડાયેલું છે જે 24 કલાકની ઇનર કલોક છે, જે તમારા ઊંઘ-જાગવાની સાયકલને કંટ્રોલ કરે છે. તે દિવસભર વધઘટ થાય છે, પરંતુ તમારા શરીરનું તાપમાન સામાન્ય રીતે બપોરે સૌથી વધુ હોય છે અને જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે ટોપ પર હોય છે.
જેમાં કે એક સ્ટડી અનુસાર, મોજાં પહેરનારાઓ 7.5 મિનિટ વહેલા સૂઈ જાય છે. રાત્રે પગમાં મોજાં પહેરવાથી રક્ત પરિભ્રમણમાં 25 ટકાનો સુધારો થાય છે. જે રેનોડ અને ડાયાબિટીસમાં ફાળો આપે છે. આ ઓક્સિજન લેવલમાં સુધારો કરે છે. જે મેનોપોઝલ સ્ત્રીઓ રાત્રે મોજાં પહેરીને સૂવે છે તેઓ ઓછી ગરમી ફીલ કરે છે. કેમ કે ગરમ પગ શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો તમને વેસ્ક્યુલર રોગ (PD) કે ડાયાબિટીસ હોય તો આ જોખમ વધુ છે. સૂતી વખતે ટાઈટ મોજાં પહેરવાથી તમારા પગ અને અંગૂઠામાં રક્ત પ્રવાહ મર્યાદિત થઈ શકે છે. જે પગમાં દુખાવો, ઘા રૂઝવામાં મોડું તેવું અને ઇન્ફેક્શન જેવી સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. મોજા પહેરીને સૂવાથી તમારા પગ ગરમ અને પરસેવાવાળા થઈ શકે છે જેથી વધુ પડતી ગરમી ઊંઘવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. ગરમ, ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયા અને ફૂગ વધે છે આથી તમારા મોજાંની અંદર પરસેવો થવાથી દુર્ગંધ અને ત્વચાનું ઇન્ફેક્શન થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.