ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નાળિયેરની અંદર આટલું બધું પાણી ક્યાંથી આવે છે? નળ કે પાઇપ નહીં, જાણો આ પાછળનું રસપ્રદ વિજ્ઞાન!

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / નાળિયેરની અંદર આટલું બધું પાણી ક્યાંથી આવે છે? નળ કે પાઇપ નહીં, જાણો આ પાછળનું રસપ્રદ વિજ્ઞાન!

Last Updated: 08:12 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, નારિયેળમાં પાણી જમીનમાંથી કેવી રીતે ઉપર પહોંચે છે ? અને પોષક તત્ત્વો સાથે મળીને કેવી રીતે કુદરતી મિશ્રણ બને છે? ચાલો આજે તેના વિષે જાણવાનો પ્રયાસ કરીએ.

1/6

photoStories-logo

1. નારિયેળ પાણી

નારિયેળનું પાણી આપણે બધા પીએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે તેમાં આટલું સ્વચ્છ અને મીઠું પાણી ક્યાંથી આવે છે? ઝાડ પર કોઈ નળ કે પાઈપ નથી છતાં 60-80 ફૂટ ઊંચા નારિયેળના વૃક્ષની ટોચે લાગેલા ફળમાં પાણી કેવી રીતે ભરાય છે? આ પાછળનું વિજ્ઞાન ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો જાણીએ આ રહસ્ય વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આ રીતે તત્ત્વો શોષે છે

નારિયેળના ઝાડના મૂળ જમીનમાંથી પાણી અને તેમાં ઓગળેલા ખનિજ તત્ત્વો શોષે છે. આ પાણી જડોમાંથી થડની અંદરની જાઇલમ નામની બારીક નળીઓ જેવી રચના દ્વારા ઉપર તરફ જાય છે. આ જાઇલમ પાણીને ઝાડની સૌથી ઊંચી ડાળીઓ અને ફળો સુધી પહોંચાડે છે. એટલે જ એટલા ઊંચા વૃક્ષ પર પણ પાણી સરળતાથી પહોંચી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ફળની અંદર કેવી રીતે જમા થાય છે?

હવે પ્રશ્ન એ છે કે આ પાણી ફળની અંદર કેવી રીતે જમા થાય છે. જ્યારે નારિયેળનું ફળ બનવાનું શરૂ થાય છે ત્યારે તે નાના બીજ જેવું હોય છે. તેની અંદર એક પ્રવાહી પદાર્થ બને છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં લિક્વિડ એન્ડોસ્પર્મ કહે છે. ઝાડ પોતાના પાંદડામાં પ્રકાશસંશ્લેષણ દ્વારા ખાંડ અને પોષક તત્ત્વો બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફ્લોએમ નામની નળી

આ તત્ત્વો ફ્લોએમ નામની બીજી નળીઓ દ્વારા ફળ સુધી પહોંચે છે. જ્યારે પાણી જાઇલમ દ્વારા આવે છે. બંને ભેગા થઈને જે પ્રવાહી બને છે તે જ આપણે નારિયેળનું પાણી કહીએ છીએ. એટલે તે માત્ર પાણી નથી પણ પાણી, સુગર, વિટામિન, મિનરલ્સ અને એમિનો એસિડનું કુદરતી મિશ્રણ પણ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આ પાણી ફળમાં કેમ જમા થાય છે?

તે અંદર વિકસતા બીજ માટે ખોરાકનો ભંડાર હોય છે. શરૂઆતમાં બીજ કમજોર હોય છે અને પોતે પોષણ બનાવી શકતું નથી ત્યારે આ પ્રવાહી તેને જરૂરી પોષણ આપે છે. જેમ-જેમ નારિયેળ પાકે છે તેમ આ પ્રવાહી ઘટ્ટ થઈને સફેદ પલ્પમાં બદલાય છે. એટલે જ કાચા હરિયાળા નારિયેળમાં પાણી વધુ અને પાકેલામાં પલ્પ વધુ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બાહ્ય આવરણ મહત્વનું

નારિયેળનું બાહ્ય આવરણ પણ મહત્વનું છે. કેમ કે, બહારની રેસાદાર પડ અને અંદરની સખત છાલ પાણીને ગરમી, કીડા-મકોડા અને નમીના નુકસાનથી બચાવે છે. એટલે જ નારિયેળનું પાણી મહિનાઓ સુધી અંદર તાજું અને સુરક્ષિત રહે છે. એક સરેરાશ હરિયાળા નારિયેળમાં 200થી 800 મીલીલિટર પાણી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

natural mixture coconut tree coconut water
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ