ગુજરાતના તાપી જિલ્લામાં સોનગઢ નામના તાલુકામાં વાજપુરનો કિલ્લો આવેલો છે. આ કિલ્લાની ખાસિયત છે કે તે આખું વર્ષ પાણીમાં જ ડૂબેલો રહે છે. આ સ્થળની તમે મુલાકાત વીકેન્ડમાં લઈ શકો છો. આ સ્થળ સુરતથી માત્ર 86 કિમીના અંતરે આવેલું છે. સોનગઢમાં સોનગઢનો કિલ્લો પણ જોવાલાયક છે.
સોનગઢમાં આવેલો વાજપુરનો કિલ્લો છે ખાસ
ઉકાઈ ડેમના પાણીમાં હંમેશા ડૂબેલો રહે છે આ કિલ્લો
વીકેન્ડ માટે બેસ્ટ છે આ જગ્યાની મુલાકાત
સુરતથી 86 કિમીના અંતરે આવેલો છે આ કિલ્લો
112 કિમીની ઊંચાઈ પર આવેલો છે કિલ્લો
સોનગઢનો કિલ્લો ગુજરાતના તાપીમાં આવેલો છે. આ કિલ્લો સુરત- ધુલિયા માર્ગની બાજુ પર આલેવી ઊંચી ટેકરી પર સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવ્યો હતો. ઈ.સ. 1792થી આ ગાયકવાડોનું મુખ્ય થાણું હતું. આ કિલ્લો 112 કિમીની ઊંચાઈ પર આવેલો છે.
ઉકાઈ ડેમના પાણીમાં ડૂબેલો રહે છે કિલ્લો
જ્યારે ગાયકવાડ રાજવંશ દ્વારા જામલી અને વાજપુર ગામ પાસે એક કિલ્લો બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો મોટાભાગે ઉકાઈ ડેમના પાણીમાં ડૂબેલો રહે છે. ક્યારેક જ બહાર જોવા મળે છે. ઉકાઈ ડેમની જળસપાટી 283 ફૂટ સુધી જતાં કિલ્લાનો ઉપરનો ભાગ જોવા મળે છે.
કિલ્લા પર છે અનેક ધાર્મિક સ્થળ
આ કિલ્લા પર જવાનો રસ્તો સર્પાકાર છે. કિલ્લા પર મહાકાળી માતાનું મંદિર અને દરગાહ સહિત અનેક ધાર્મિક સ્થળો પણ છે. દશેરાના તહેવારે અહીં મેળો ભરાય છે. આ કિલ્લા પર અંબાજી માતાનું મંદિર પણ છે. અહીં માતાજીના દર્શન કરવા ભોંયરામાં થઈને જવું પડે છે. અહીં ખંડેરાવ મહારાજનું મંદિર છે તે પણ જોવાલાયક છે. અહીં પાણીના બે હોજ અને એક મોટું તળાવ છે. કિલ્લાની તળેટીમાં જૂના મહેલના અવશેષો પણ છે.