બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Travel / પ્રવાસ / 15 ઓક્ટોબર સુધી? બંધ રહેશે ભારતનું આ એરપોર્ટ, જાણો ફ્લાઇટ્સ પર કેમ રોક લગાવાઇ?
Last Updated: 02:56 PM, 2 June 2026
Airport: રનવે રિપેરને કારણે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ 1 થી 15 ઓક્ટોબર સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. જુલાઈથી સપ્ટેમ્બર સુધી દર અઠવાડિયામાં બે દિવસ ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થશે. આ નિર્ણયથી કાશ્મીરના પર્યટન ઉદ્યોગને નોંધપાત્ર નુકસાન થવાની ધારણા છે. ટ્રાવેલ એજન્સીઓ અને હોટેલ કારોબારી સરકારને પુનર્વિચાર કરવા વિનંતી કરી રહ્યા છે.
ADVERTISEMENT
શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ 1 થી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. અહીંથી કોઈ ફ્લાઇટ્સ ઉડાન નહી ભરી શકે. એરપોર્ટ પર રનવેની રીપેરીગની કામગીરી થઇ રહી છે જેને કારણે ઉડાનને અસર થશે. સંપૂર્ણ બંધ થાય તે પહેલાં જુલાઈથી સપ્ટેમ્બરના અંત સુધી દર અઠવાડિયામાં બે દિવસ એરપોર્ટ બંધ રહેશે. ઓક્ટોબરનો આ સમય દુર્ગા પૂજાની રજાઓનો સમય હોય છે. દેશના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાતે આવતા હોય છે.
Passenger Advisory from Srinagar Airport ✈️
— Srinagar Airport (@SrinagarAirport) June 2, 2026
As part of the planned runway maintenance works by the Indian Air Force, it is proposed that the runway at Srinagar Airport may remain unavailable on every Monday and Tuesday from 01 July 2026 to 30 September 2026.
Further, a total… pic.twitter.com/KZpVLKurwt
ADVERTISEMENT
ટ્રાવેલ એજન્સીઓને ડર છે કે એરપોર્ટ બંધ થવાને કારણે લોકો તેમના બુકિંગ રદ કરશે. આનાથી કાશ્મીરના પર્યટન ઇંડસ્ટ્રીને નોંધપાત્ર નાણાકીય નુકસાન થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રનવે સલામતી માટે સમારકામ જરૂરી છે.
ભારતીય વાયુસેના દ્વારા જારી કરાયેલા નોટમ બાદ 6 એપ્રિલથી ફ્લાઇટ્સ પર રોક લગાવવામાં આવી છે. કામના કારણે ફ્લાઇટ્સનું સંચાલન પહેલાથી જ ઘટાડી દેવામાં આવ્યું છે. ફ્લાઇટ્સ હવે ફક્ત સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી જ ચાલી રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / DAમાં સરકાર કરી શકે આટલાં ટકાનો વધારો, કેન્દ્રીય કર્મીઓ માટે ખુશખબરી
ADVERTISEMENT
કાશ્મીર પર્યટન પર ભારે અસર પડી શકે છે
પહેલાં ફ્લાઇટ્સ સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેતી હતી. ઓક્ટોબર મહિનામાં એરપોર્ટ સંપૂર્ણપણે બંધ રહી શકે છે. હોટેલ અને ટ્રાવેલ કારોબારી સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી રહ્યા છે. ઓક્ટોબર પ્રવાસન માટે સૌથી વ્યસ્ત મહિનો હોય છે. વેપારીઓ કહે છે કે ફ્લાઇટ્સ સ્થગિત કરવાથી પ્રવાસીઓનું આગમન અટકશે અને સ્થાનિક વ્યવસાયોને ભારે નુકસાન થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.