બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ભારત / Politics / Vishnu deo sai took oath for a chief minister of chhattisgarh in front of PM Modi and others
Vaidehi
Last Updated: 04:26 PM, 13 December 2023
PM મોદીની હાજરીમાં વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢનાં CM તરીકે શપથ લીધાં. અજિત જોગી બાદ રાજ્યને બીજી વાર આદિવાસી સીએમ મળ્યાં છે. શપથવિધિ બાદ CM વિષ્ણુદેવ સાય મંત્રાલય પહોંચશે.
#WATCH | PM Modi attends the swearing-in ceremony of Chhattisgarh CM-designate Vishnu Deo Sai in Raipur pic.twitter.com/fdnimtaarr
— ANI (@ANI) December 13, 2023
PM મોદીની હાજરીમાં લીધા શપથ
વિષ્ણુદેવ સાયએ રાજ્યપાલની હાજરીમાં રાયપુરનાં સાયન્સ કોલેજમાં મુખ્યમંત્રી પદ માટે શપથ લીધાં. રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવી. આ દરમિયાન PM મોદી સહિત અને ગણમાન્ય નેતાઓએ હાજરી આપી. છત્તીસગઢના સીએમની સાથે વિજય શર્મા અને અરુણ સાવએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધાં.
અનેક ગણમાન્ય નેતાઓ હાજર
આ શપથગ્રહણ દરમિયાન PM મોદી સહિત અમિત શાહ, જે.પી.નડ્ડા, નિતિન ગડકરી, યોગી આદિત્યનાથ, પુષ્કરસિંહ ધામી, રામદાસ અઠાવલે સહિત અનેક ગણમાન્ય નેતાઓ હાજર રહ્યાં હતાં. CM પદ માટે શપથ લીધાં બાદ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય મંત્રાલય જશે અને સંભાવના છે કે મંત્રાલય પહોંચ્યા બાદ તેઓ કંઈક મોટું એલાન કરશે. વિષ્ણુ દેવ સાયનાં સ્વાગતની તૈયારીઓ મંત્રાલયમાં પૂર્ણ થઈ ગઈ છે.
કોણ છે વિષ્ણુદેવ સાય?
વિષ્ણુદેવ સાય છત્તીસગઢના કુંકુરી મત વિસ્તારના છે. રાજ્યમાં આદિવાસી સમુરાઇની સૌથી વધુ વસ્તી છે અને સાય આ સમુદાયના છે. અજિત જોગી બાદ છત્તીસગઢમાં અન્ય કોઇ મુખ્યમંત્રી બનાવી શકાયા નહોતા. ભાજપે બીજી વાર આદિવાસી સીએમ પસંદ કર્યાં છે. વિષ્ણુદેવ સાય 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં સાયની ગણના સંઘના નજીકના નેતા તરીકે થાય છે. તેઓ 1999થી 2014 સુધી રાયગઢથી સાંસદ હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સાયને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સંગઠન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime