હાલ ભારતમાં બુલેટ ટ્રેનને લઈને ઠેર ઠેર ચર્ચા થઈ રહી છે ત્યારે ભારતમાં એક નવી ટ્રેન મુકવાની વાત ચાલી રહી છે. બ્રિટનની પ્રતિશિષ્ઠ કંપની વર્જિન ભારતમાં હાયપરલૂક ટ્રેન શરુ કરવા માંગે છે. આ ટ્રેનની 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. આ ટ્રેન એક ટ્યુબમાંથી પસાર થશે.
દિલ્હી મુંબઈ વચ્ચે હાયપરલૂપ ટ્રેન શરુ કરવા ઈચ્છે છે વર્જિન ગ્રુપ
1300 કિલોમીટરનું લાંબુ અંતર 1 કલાકમાં કાપી શકે છે
આ ટેકનોલોજીનો વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ઉપયોગ થયો નથી
વર્જિન ગ્રુપ ઈચ્છે છે કે તે દિલ્હી અને મુંબઈની વચ્ચે 1300 કિલોમીટરના ટ્રેક પર હાયપરલૂપ ટ્રેન ચલાવા માંગે છે. આ ટ્રેનની સ્પીડ 1200 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો કે અત્યાર સુધી કોઈ જગ્યાએ આ ટેકનોલોજીનો ઉપયોગ નથી થયો. વર્જિન ગ્રુપના પ્રતિનિધિ હાલ ભારતમાં છે અને તેને નીતિન ગડકરી સાથે મુલાકાત પણ કરી હતી.
જો આ ડીલ થશે તો ભારતમાં વિશ્વની પહેલી હાયપરલૂપ ટ્રેન દોડશે. હાયપરલૂપ ટ્રેન એક ટ્યુબમાંથી પસાર થાય છે. જેમની સ્પીડ 1200 કિલોમીટર પ્રતિ કલાક છે. હાયપરલૂપનો પ્રસ્તાવ માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી સામે રાખ્યો છે. વર્જિન ગ્રુપ ઈચ્છે છે કે આ ટ્રેન દિલ્હીથી મુંબઈ વચ્ચે શરુ કરવામાં આવે.
નિતીન ગડકરીને મળ્યાં વર્જિનના પ્રતિનિધિ
આ પ્રોજેક્ટને લઈને મહારાષ્ટ્ર સરકાર સાથે પહેલા વાતચીત કરવામાં આવી હતી. પરંતુ શિવસેનાની સરકાર બન્યા બાદ આ પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો. જે બાદ કંપનીના પ્રતિનિધિ વાતચીતને આગળ વધારવા માટે નિતીન ગડકરીને મળ્યાં હતાં.
દિલ્હી અને મુંબઈ વચ્ચે હાયપરલૂપનો પ્રસ્તાવ
એક મીડિયા રીપોર્ટસ અનુસાર કંપનીના પ્રતિનિધિ દિલ્હીથી મુંબઈ વચ્ચે 1300 કિલોમીટર લાંબા રૂટ પર ટ્રેન ચાલુ કરવા માટે નિતીન ગડકરી સાથે બેઠક કરી હતી. ગ્રુપના કેટલાંક પ્રતિનિધિ ભારત આવ્યાં છે.
પહેલા મુંબઈ અને પૂણે વચ્ચે હાયપરલૂપ ચલાવાનો પ્લાન હતો.
અગાઉના અઠવાડિયે નિતીન ગડકરીએ કહ્યું હતું કે તેમણે બુલેટ ટ્રેનની જેમ બીજા પ્રોજેક્ટને લઈને પણ ઘણાં ઇન્વેસ્ટર્સ સાથે મુલાકાત કરી છે. વર્જિન ગ્રુપે [પહેલા મુંબઈથી પૂણે વચ્ચે ટ્રેન ચલાવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેમણે તરત જ ભાજપ સરકાર તરફથી મંજૂરી મળી ગઈ હતી. પ્રોજેક્ટના પહેલા તબક્કામાં 11.8 કિલોમીટર લાંબો ટ્રેક બનવાનો હતો. જેમના માટે 10 અરબ ડોલર ખર્ચો હતો અને આ બનાવવા માટે 2.5 વર્ષનો સમય લાગે.
મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને પણ કેન્સલ કરી દીધો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કેન્સલ કરી દીધો. ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યું હતું કે અમારી એવી સ્થિતિ નથી કે હાયપરલૂપ જેવા કન્સેપ્ટને અપનાવી શકીએ. હાલ ટ્રાન્સપોર્ટના બીજા માધ્યમ પર વિચાર કરવામાં આવશે. આ ટેકનોલોજી બીજા દેશોમાં આવશે પછી વિચાર કરવામાં આવશે.
અન્ય સેક્ટરોમાં પણ રોકાણ કરવા માંગે છે વર્જિન ગ્રુપ
એક અનુસાર જાણવા મળ્યું છ કે હાયપરલૂપની હાલ ભલે વાતચીત થઈ રહી હોય પણ તે હાલ શક્ય નથી. સમગ્ર વિશ્વમાં આ ટેકનોલોજીનો હજુ સુધી કોઈ પણ જગ્યાએ ઉપયોગ થયો નથી. વર્જિનગ્રુપ ભારતમાં એવિએશન, હોસ્પીટાલિટી, મ્યુઝીક અને ટેલિકોમ - મીડિયા સેક્ટરમાં પણ રોકાણ કરવા માંગે છે.