બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે થઇ રહી છે રૂ. 18 કરોડની ચોરી? રાજ ઠાકરેનો આરોપ

મુંબઈ / સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે થઇ રહી છે રૂ. 18 કરોડની ચોરી? રાજ ઠાકરેનો આરોપ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:53 AM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raj Thackeray on Siddhivinayak Temple: રાજ ઠાકરેએ સિદ્ધિવિનાયક મંદિરને લઇ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે ૧૮ કરોડ રૂપિયાની ચોરી થાય છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ એક મોટો દાવો કર્યો છે. અહીંના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે ૧૮ કરોડ રૂપિયાની ચોરી થાય છે તેવો દાવો કરતા તેમણે શનિવારે કહ્યું હતું કે આજકાલ મંદિરો પણ સુરક્ષિત નથી. મનસેની વિદ્યાર્થી પાંખ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઠાકરેએ એવો પણ દાવો કર્યો હતો કે અયોધ્યાના રામ મંદિરમાંથી ૧,૪૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ છે.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દા પર બોલવું જોઈએ. મનસેના વડાએ કહ્યું કે હતાશ યુવાનો મંદિરોમાં જાય છે, પરંતુ મંદિરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને આઠ ટ્રસ્ટીઓ દ્વારા લખાયેલ પત્ર વાંચીને ઠાકરેએ કહ્યું કે સિદ્ધિવિનાયક મંદિરના દાનપેટીમાંથી પૈસા ચોરી કરતા કેટલાક કર્મચારીઓ ટ્રસ્ટીઓની સતર્કતાને કારણે પકડાઈ ગયા છે.

મનસેના વડા રાજ ઠાકરેનો મોટો દાવો

મનસેના વડા રાજ ઠાકરેએ કહ્યું કે ચોરીનો ખુલાસો થયો તે પહેલાં મંદિરની દાનપેટીમાંથી સાપ્તાહિક આવક ₹50 લાખથી ઓછી હતી, પરંતુ તે પછી દાનની રકમ વધીને ₹1.5 કરોડ થઈ ગઈ. રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે, "દર વર્ષે ₹18 કરોડની ચોરી થઈ છે."

આ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના નેતા સદા સરવણકરે પત્રકારોને જણાવ્યું હતું કે આ કેસમાં નવ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે પત્રકારોને કહ્યું, "અમે જ્યાં જરૂર હોય ત્યાં કેસ દાખલ કર્યા છે." સરવણકરે કહ્યું હતું કે દાનમાં વધારો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે થયો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ મુંબઈ / કલમ 144, લાઉડસ્પીકર પર રોક, કેમ મુંબઈમાં પ્રતિબંધો મૂકાયા?

એ નોંધવું જોઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં મંદિરના દાનની ચોરીના અનેક કિસ્સાઓ નોંધાયા છે. વિપક્ષ આ મુદ્દા પર સતત સરકાર પર નિશાન સાધી રહ્યો છે. આ પહેલા અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરીઓનો પણ પર્દાફાશ થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Siddhivinayak Temple Mumbai News Raj Thackeray

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ