બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:22 PM, 20 July 2026
Mumbai News: મુંબઈ પોલીસે 23 જુલાઈથી 6 ઓગસ્ટ 2026 સુધી શહેરમાં કલમ 144 લાગુ કરી છે. આનાથી પાંચથી વધુ લોકોના ભેગા થવા, વિરોધ-ધરણા પ્રદર્શન અને લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક લગાવી દેવાઇ છે. જોકે સરકારે લગ્ન, અંતિમ સંસ્કારમાં આ નિયમમાંથી છુટ આપી છે.
ADVERTISEMENT
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મુંબઈ પોલીસે ફરી એકવાર શહેરમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. આ આદેશ હેઠળ 23 જુલાઈથી 6 ઓગસ્ટ 2026 સુધી સમગ્ર ગ્રેટર મુંબઈ વિસ્તારમાં પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. ધરણા પ્રદર્શન, કૂચ અને લાઉડસ્પીકરનો ઉપયોગ પણ પ્રતિબંધિત કરાયો છે.
મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર (ઓપરેશન્સ) દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે વિવિધ સ્ત્રોતોમાંથી મળેલી માહિતીના આધારે, જાહેર શાંતિ ભંગ થવું, કાયદો અને વ્યવસ્થા બગડવી અને જાનમાલના નુકસાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી સાવચેતીના પગલા તરીકે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શું પ્રતિબંધિત રહેશે?
5 કે તેથી વધુ લોકો ભેગા થવા
ADVERTISEMENT
કોઈપણ પ્રકારના ધરણા, પ્રદર્શન, મોરચો અથવા સરઘસ
સરઘસ દરમિયાન લાઉડસ્પીકર, સાઉન્ડ સિસ્ટમ અથવા એમ્પ્લીફાયરનો ઉપયોગ
ADVERTISEMENT
બેન્ડ અને ફટાકડા સાથે સરઘસ કાઢવું
કોને મળશે છૂટ?
ADVERTISEMENT
મુંબઈ પોલીસના આદેશમાં આ પ્રતિબંધમાંથી કેટલીક પ્રવૃત્તિઓને બાકાત રાખવામાં આવી છે. આમાં શામેલ છે:
- લગ્ન અને વૈવાહિક સમારોહ
ADVERTISEMENT
- અંતિમ સંસ્કાર અને શવયાત્રા
- શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ
- કોર્ટ, સરકારી કચેરીઓ અને સ્થાનિક સંસ્થાઓનું કાર્ય
- સિનેમા, થિયેટર અને મનોરંજન સ્થળોએ નિયમિત થતી પ્રવૃત્તિઓ
- ફેક્ટરીઓ, દુકાનો અને વાણિજ્યિક સંસ્થાઓનું સામાન્ય સંચાલન
- કંપનીઓ, ક્લબ અને સહકારી સંસ્થાઓની વૈધાનિક બેઠકો
મુંબઈ પોલીસ દ્વારા લાંબા સમયથી આવા પ્રતિબંધક આદેશો જારી કરવામાં આવ્યા છે. નિર્ધારિત સમયગાળાની સમાપ્તિ પછી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી સમયાંતરે રિન્યૂ કરવામાં આવે છે. તેનો હેતુ કોઈપણ સંભવિત અનિચ્છનીય ઘટના, હિંસા અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની હોય છે.

આ પણ વાંચોઃ તમારા કામનું / કેન્દ્રીય કર્મચારીઓને લાગી શકે ઝટકો! 2.0 ફિટમેન્ટ ફેક્ટર પર આવ્યું ન્યૂ કેલ્ક્યુલેશન
પોલીસે સ્પષ્ટતા કરી છે કે આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈ પોલીસે જાહેર જનતાને પ્રતિબંધોનું પાલન કરવા અને શહેરમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.