બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:25 PM, 17 August 2026
શ્રાવણના પહેલા સોમવાર પર મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિર સંકુલમાં અચાનક નાસભાગ મચી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બનતા જ મંદિર પરિસરમાં હાજર શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને થોડા સમય માટે અવ્યવસ્થા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ADVERTISEMENT

પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત સ્થળ નાગચંદ્રેશ્વર મંદિર હોવાનું માનવામાં આવે છે. નાસભાગ દરમિયાન મોટી સંખ્યામાં હાજર શ્રદ્ધાળુઓ એકબીજાની વચ્ચે ફસાઈ જતાં અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ADVERTISEMENT
ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને જરૂરી સારવાર માટે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. નાસભાગનું ચોક્કસ કારણ શું હતું અને ઘટના કેવી રીતે બની તે અંગે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : લંબાવાઈ LPG e-KYCની ડેડલાઈન, રહી ગયા છો તો જાણી લો છેલ્લી તારીખ
મહાકાલ મંદિર દેશના પ્રસિદ્ધ તીર્થસ્થળોમાંનું એક હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતા હોય છે. આવી સ્થિતિમાં બનેલી આ ઘટનાએ હાજર શ્રદ્ધાળુઓમાં ચિંતા ફેલાવી છે. હાલ તંત્ર સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યું છે અને ઘટનાની વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.