બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'જન ગણ મન...', ભારતનું રાષ્ટ્રગાન નથી, મુકેશ ખન્નાના નિવેદનથી ગરમાયું રાજકારણ

નિવેદન / 'જન ગણ મન...', ભારતનું રાષ્ટ્રગાન નથી, મુકેશ ખન્નાના નિવેદનથી ગરમાયું રાજકારણ

Published By: Jinal Chauhan

Last Updated: 02:45 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા અને ‘શક્તિમાન’ તરીકે જાણીતા મુકેશ ખન્નાએ ભારતના રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ને લઈને મોટું નિવેદન આપતાં દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે. તેમણે ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગાન બનાવવાની માગ કરતાં તેમના નિવેદન પર રાજકીય અને સોશિયલ મીડિયા વર્તુળોમાં ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે.

અભિનેતા અને ‘શક્તિમાન’ તરીકે જાણીતા મુકેશ ખન્નાએ ભારતના રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ‘વંદે માતરમ’ને દેશનું રાષ્ટ્રગાન બનાવવાની માગ કરી છે. મુકેશ ખન્નાના આ નિવેદન બાદ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. IANS સાથેની વાતચીતમાં તેમણે ‘જન ગણ મન’ની રચના અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. જોકે તેમના નિવેદનમાં કેટલાક તથ્યાત્મક ગોટાળા પણ જોવા મળ્યા છે.

મુકેશ ખન્નાએ શું કહ્યું?

મુકેશ ખન્નાએ કહ્યું કે તેઓ ત્રણ વર્ષ પહેલાં પણ ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગાન બનાવવાની વાત કરી ચૂક્યા છે. તેમના દાવા મુજબ ‘જન ગણ મન’ દેશનું રાષ્ટ્રગાન ન હોવું જોઈએ અને તેની જગ્યાએ ‘વંદે માતરમ’ને સ્થાન મળવું જોઈએ. તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

‘જન ગણ મન’ને લઈને કર્યો મોટો દાવો

મુકેશ ખન્નાએ દાવો કર્યો કે ‘જન ગણ મન’ બ્રિટિશ રાજવીને શ્રદ્ધાંજલિ આપવા માટે લખાયું હતું. તેમણે રવીન્દ્રનાથ ટાગોરના ગીતને લઈને પણ સવાલ ઉઠાવ્યા. જોકે આ દાવો ઐતિહાસિક રીતે વિવાદિત છે અને તેના વિશે લાંબા સમયથી અલગ અલગ મત જોવા મળે છે. તેથી ખન્નાના નિવેદનને સીધા ઐતિહાસિક તથ્ય તરીકે રજૂ કરી શકાય નહીં.

vtv app promotion

આ પણ વાંચોઃ તારક મહેતાની કાસ્ટે ન્યૂયોર્કમાં મનાવ્યો સ્વતંત્રતા દિવસ: એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર લાઇટ સ્વિચ ઓન કરી રચ્યો ઇતિહાસ

‘વંદે માતરમ’ પહેલેથી જ છે રાષ્ટ્રગીત

મુકેશ ખન્નાના નિવેદનમાં સૌથી મોટો ગોટાળો ‘રાષ્ટ્રગીત’ અને ‘રાષ્ટ્રગાન’ને લઈને છે. ભારતનું ‘જન ગણ મન’ રાષ્ટ્રગાન છે જ્યારે ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગીતનો દરજ્જો મળેલો છે. એટલે ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગીત બનાવવાની માગ કરવી તથ્યાત્મક રીતે યોગ્ય નથી. બંનેની સત્તાવાર સ્થિતિ અલગ છે.

‘વંદે માતરમ’ને લઈને સરકારનો પણ ભાર

‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કેન્દ્ર સરકારે વર્ષભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. 2026ના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પ્રથમ વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી પણ ‘વંદે માતરમ’નું પઠન કરવામાં આવ્યું હતું. આ કારણે આ વર્ષે રાષ્ટ્રગીતને લઈને ચર્ચા વધુ તેજ બની છે.

નિવેદન સાથે કેટલીક ભૂલો પણ થઈ

મુકેશ ખન્નાએ પોતાના નિવેદનમાં ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગીત બનાવવાની વાત કરી હતી જ્યારે તે પહેલેથી જ રાષ્ટ્રગીત છે. આ ઉપરાંત તેમણે ‘જન ગણ મન’ના નામ અને ગીતની કેટલીક પંક્તિઓને લઈને પણ ગોટાળો કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ ભૂલોને કારણે તેમના નિવેદન પર ચર્ચા સાથે ટીકા પણ થઈ રહી છે. મુકેશ ખન્નાનું નિવેદન હાલમાં માત્ર તેમનો અભિપ્રાય છે. સત્તાવાર રીતે ‘જન ગણ મન’ ભારતનું રાષ્ટ્રગાન છે અને ‘વંદે માતરમ’ રાષ્ટ્રગીત છે. બંને ગીતોનું દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા આંદોલનમાં મહત્વનું સ્થાન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jana Gana Mana Mukesh Khanna Vande Mataram,

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ