બ્રેકિંગ ન્યુઝ
ઘરની બધી વસ્તુઓ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ન રાખવામાં આવી હોય તો તેનું જીવન પર ઉંડો પ્રભાવ થાય છે. આ વસ્તુઓમાં એક છે ફિશ એક્વેરિયમ, જેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર માછલી સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી નકારાત્મક ઉર્જાને બહાર કાઢવામાં સક્ષમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ફિશ એક્વેરિયમને રાખવાની યોગ્ય દિશા કઈ છે? જાણો ફિશ એક્વેરિયમના વાસ્તુ નિયમો વિશે.
ADVERTISEMENT

એક્વેરિયમમાં કેટલી હોવી જોઈએ ફિશ?
ફિશ એક્વેરિયમમાં વધારે કે ઓછી માછલીઓ ન રાખો. વાસ્તુ અનુસાર એક્વેરિયમમાં 9 માછલીઓ રાખવી સૌથી શુભ માનવામાં આવે છે જેમાં 8 નારંગી અને એક કાળી માછલી રાખવી જોઈએ.
ADVERTISEMENT
કઈ દિશામાં રાખવું જોઈએ એક્વેરિયમ?
ફિશ એક્વેરિયમ રાખવાની સૌથી સારી જગ્યા ઉત્તર પૂર્વ દિશા માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની આ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરમાં શાંતિ બની રહે છે અને સ્ટ્રેસની સ્થિતિ ખતમ થઈ જાય છે.

ADVERTISEMENT
માછલી પાળવી છે ખૂબ જ શુભ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ઘરમાં માછલી પાળે છે તેના જીવનમાં સકારાત્મકતા વધે છે અને સફળતા પ્રાપ્ત થાય છે. સૌભાગ્યની પ્રાપ્તી માટે તમે પણ પોતાના ઘરમાં ફિશ એક્વેરિયમ રાખી શકો છો.
આ બે જગ્યાઓ પર ન રાખો ફિશ એક્વેરિયમ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફિશ એક્વેરિયમ ભુલથી પણ કિચનમાં ન રાખો. તેના ઉપરાંત તમે તેને બેડરૂમમાં પણ ન રાખો. જો તમે આ જગ્યાઓ પર એક્વેરિયમ રાખો છો તો તેનાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ દિશાઓમાં ન રાખો એક્વેરિયમ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં એક્વેરિયમ ન રાખવું જોઈએ. તેનાથી તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે. માટે ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ એક્વેરિયમ ન રાખો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.