બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે રેલવે યાત્રા પણ સુરક્ષિત નથી! મુસાફરો સાથે થઇ રહી છે છેતરપિંડી

તમારા કામનું / હવે રેલવે યાત્રા પણ સુરક્ષિત નથી! મુસાફરો સાથે થઇ રહી છે છેતરપિંડી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 03:04 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Railway Safety Report: રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઇ CAGના રિપોર્ટમાં મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે, જેમાં ખુલાસો થયો છે કે સુરક્ષા સંબંધિત ઘણા કામો હજુ પુરા થયા નથી.

Railway Safety Report: લાખો મુસાફરો દરરોજ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ઘણા લોકો માટે રેલ્વે રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે મોટાભાગના લોકો કામ પર જવા અને ઘરે પાછા ફરવા માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. તેથી મુસાફરોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવી એ રેલ્વેની જવાબદારી છે. જોકે રેલ્વે સુરક્ષા અંગેના CAG ના રિપોર્ટમાં મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે, જેને લોકોની ચિંતા વધારી દીધી છે.

રેલ્વેમાં કામ અને ખર્ચ અંગે જાણકારી સામે આવી

નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG) એ સંસદમાં રેલ્વે પર એક મહત્વપૂર્ણ રીપોર્ટ રજૂ કર્યો. માર્ચ 2025 સુધીના રેલ્વે કાર્ય અને ખર્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે સુરક્ષા સંબંધિત ઘણા કાર્યો હજુ પૂર્ણ થયા નથી.

રિપોર્ટમાં શું ખુલાસો થયો?

રિપોર્ટ અનુસાર રેલ્વેની અંદર સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ માટે રાષ્ટ્રીય રેલ સલામતી ભંડોળ (RRSK) બનાવવામાં આવ્યું છે. જેમાં રેલવેને પોતાના ભંડોળમાંથી ચોક્કસ રકમ આપવાની જરૂર હતી, પરંતુ રેલવેએ નક્કી રકમના ફક્ત 21.30% યોગદાન આપ્યું હતું.

રેલવેમાં સલામતી સંબંધિત ઘણા પ્રોજેક્ટ અધૂરા

રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં 20,304 સલામતી સંબંધિત પ્રોજેક્ટ અધૂરા રહ્યા છે.

CAG એ RRSK ફંડના ઉપયોગ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. રિપોર્ટ મુજબ જે ફંડ સલામતી માટે નક્કી હતુ તેમાંથી 823.14 કરોડ એવા કામો માટે આપી દેવાયા જે પ્રાથમિકતામા ન હતા.

વધુમાં 2024-25 માં રેલવે મંત્રાલયે પ્રાથમિકતા વિના 1,321 પ્રોજેક્ટ્સ પર 19,458.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જેને મંજુરી પણ મળી ન હતી.

એટલું જ નહીં, પરંતુ 2022-23 થી 2024-25 ના સમયગાળા દરમિયાન, RRSK ફંડમાંથી 3,397.60 કરોડ રૂપિયા એવા કામો પર ખર્ચવામાં આવ્યા હતા જે પ્રાથમિકતા મા ન હતા.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનુું / ''8મું પગાર પંચ હાલ...'', સંસદમાં બોલી કેન્દ્ર સરકાર, જાણો ક્યારથી લાગુ થશે?

મુસાફરો માટે રિપોર્ટ શા માટે મહત્વપૂર્ણ ?

ટ્રેન મુસાફરોની સલામતી ખૂબ મહત્વપૂર્ણ છે.

આમ છતાં રેલ્વેમાં 20,304 સલામતી સંબંધિત કામો પૂર્ણ થયા નથી.

વધુમાં રેલ્વેએ RRSK માં નિર્ધારિત રકમના માત્ર 21.30 ટકા જ જમા કરાવ્યા.

તેમજ RRSK ફંડમાંથી કરોડો રૂપિયા બિન-પ્રાથમિકતાવાળા કાર્યો પર ખર્ચવામાં આવ્યા.

મુસાફરોને રેલ્વે સલામતી સંબંધિત માહિતી હોવી ખૂબ મહત્વપૂર્ણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Safety Keng Report Railway Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ