બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તરણેતરના લોકમેળાને લઈ મોટી અપડેટ, આ તારીખથી 4 દિવસ સુધી યોજાશે મેળો

સુરેન્દ્રનગર / તરણેતરના લોકમેળાને લઈ મોટી અપડેટ, આ તારીખથી 4 દિવસ સુધી યોજાશે મેળો

Published By: Vishal Khamar
Reported By: Sachin Pithava

Last Updated: 05:36 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના થાનગઢના તરણેતરમાં 14 થી 17 સપ્ટેમ્બર સુધી વિશ્વવિખ્યાત લોકમેળો યોજાનાર છે. લોકમેળાને લઈ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

થાનગઢના પ્રસિદ્ધ તરણેતરમાં આગામી 14થી 17 સપ્ટેમ્બર દરમિયાન વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં મેળાના આયોજન, વ્યવસ્થાઓ અને સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સફાઈ કામગીરી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો

મેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રસ્તા, પાર્કિંગ, પીવાના પાણી અને એસ.ટી. બસની સુવિધા સુચારૂ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ મેળા મેદાન તેમજ તરણેતર તળાવની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ કામગીરી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. સંભવિત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ક્રાઇસિસ મેનેજમેન્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આગની દુર્ઘટના સામે તકેદારી માટે ફાયર ફાઇટર, જ્યારે તાત્કાલિક સારવાર માટે આરોગ્ય વિભાગની ટીમો તૈનાત રાખવામાં આવશે. મેળામાં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ફૂડ ચેકિંગની કામગીરી પણ હાથ ધરાશે.

રાઇડ્સની સુરક્ષાની ચકાસણી કરીને જ તેને મંજૂરી આપવાની વ્યવસ્થા

મેળામાં આવતી વિવિધ રાઇડ્સની સુરક્ષાની ચકાસણી કરીને જ તેને મંજૂરી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. મુલાકાતીઓ અને વિવિધ વિભાગો વચ્ચે ઝડપી સંકલન માટે કોમ્યુનિકેશન વ્યવસ્થા પણ સુદૃઢ બનાવવામાં આવશે.

વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું

તરણેતર લોકમેળાની વિશેષતા સમાન લોકસંસ્કૃતિ અને પરંપરાગત કળાઓને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જેમાં ભવાઈ, નાટક, પપેટ-શો અને ગ્રામીણ રમતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત પરંપરાગત પશુ હરીફાઈ તેમજ ગ્રામીણ ઓલમ્પિક માટે પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ દિવાલ પર લખી અંતિમ વ્યથા, વીડિયો બનાવી પિતાએ મોત વ્હાલું કર્યું

14થી 17 સપ્ટેમ્બર દરમિયાન તરણેતરનો મેળો યોજાશે

વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવીને મેળામાં આવતા લોકો માટે સુરક્ષિત અને સુવિધાયુક્ત વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આમ, 14થી 17 સપ્ટેમ્બર દરમિયાન તરણેતર લોકસંસ્કૃતિ, પરંપરા, કલા અને ગ્રામ્ય જીવનના રંગોથી રંગાઈ ઊઠશે, ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ લોકમેળો આકર્ષણનું કેન્દ્ર બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tarnetar Fair 2026 Surendranagar Tarnetar Fair Tarnetar Mela

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ