બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / પંચામૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં ‘કુકરી પ્રોગ્રામ’નું આયોજન

photo-story

7 ફોટો ગેલેરી

PHOTOS / પંચામૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં ‘કુકરી પ્રોગ્રામ’નું આયોજન

Last Updated: 07:15 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પંચામૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ- નિકોલ, અમદાવાદ દ્વારા આયોજિત કૂકરી પ્રોગ્રામમાં નર્સિંગ વિદ્યાર્થીઓને પોષણ, વિટામિન્સ, મિનરલ્સ, સંતુલિત આહાર અને વિવિધ રોગોમાં દર્દીને આપવાના યોગ્ય આહાર વિશે પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે.

1/7

photoStories-logo

1. ‘કુકરી પ્રોગ્રામ’નું આયોજન

પંચામૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ નિકોલ, અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓમાં પોષણ અંગે જાગૃતિ વધારવા અને પ્રાયોગિક જ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે ‘કુકરી પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સંતુલિત આહાર વિશે અભ્યાસ કરાવવામાં આવે

નર્સિંગ અભ્યાસક્રમમાં Nutrition & Biochemistry વિષયનું વિશેષ મહત્વ છે, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ પોષક તત્વો, વિટામિન્સ, મિનરલ્સ તથા સંતુલિત આહાર વિશે અભ્યાસ કરાવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાયોગિક સમજ આપવાનો

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિય જ્ઞાન પૂરતું મર્યાદિત ન રાખીને પોષણયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક તૈયાર કરવાની પ્રાયોગિક સમજ આપવાનો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વિદ્યાર્થીઓએ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી અને તેમાં રહેલા પોષક તત્વો વિશે માહિતી રજૂ કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રોગને અનુરૂપ આહારની પસંદગી કરવી જરૂરી

નર્સિંગ ક્ષેત્રમાં દર્દીની સારવાર દરમિયાન યોગ્ય આહારનું મહત્વ ખૂબ જ વધારે છે. વિવિધ રોગોથી પીડાતા દર્દીઓ માટે તેમની શારીરિક સ્થિતિ અને રોગને અનુરૂપ આહારની પસંદગી કરવી જરૂરી બને છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ વિવિધ રોગો ધરાવતા દર્દીઓ માટે કયા પ્રકારનો ખોરાક લાભદાયી રહે છે અને કયા ખોરાકથી દૂર રહેવું જોઈએ તેની માહિતી પણ રજૂ કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમની સર્જનાત્મકતા, પોષણ અંગેનું જ્ઞાન અને રસોઈ બનાવવાની કુશળતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, આત્મવિશ્વાસ, પ્રસ્તુતિ કૌશલ્ય તથા દર્દીની પોષણસંબંધી જરૂરિયાતોને સમજવાની ક્ષમતા વિકસે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ‘કુકરી પ્રોગ્રામ’ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થયો

‘કુકરી પ્રોગ્રામ’ પંચામૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાથે વ્યવહારુ અનુભવ મેળવવાનો એક મહત્વપૂર્ણ અને ઉપયોગી અવસર સાબિત થયો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Nursing College Event Cookery Programme Panchamrut Institute of Nursing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ