બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / up assembly elections 2022 kairana seat becomes a question of prestige for bjp home minister amit shah will communicate door to door with the victims family tomorrow

2022 elections / UP માં ચૂંટણીનો ધમધમાટ, મુસ્લિમ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં અમિત શાહ પોતે ઉતરશે મેદાનમાં, ઘડી કાઢ્યો માસ્ટર પ્લાન

Published By: Dharmishtha

Last Updated: 12:51 PM, 22 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીની જાહેરાતો બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહેલી વાર ઉત્તર પ્રદેશમાં કોઈ રાજનૈતિક કાર્યક્રમમાં ભાગ લેશે.

  • અમિત શાહ આજે હેલીકોપ્ટરથી કૈરાના પહોંચી પીડિતોને મળશે
  •  આજે અમિત શાહ કૈરાના જિલ્લાનો પ્રવાસ કરશે
  •  શાહ બાગપત અને શામલી પાર્ટી પદાધિકારીઓ સાથે બેઠક કરશે

 આજે હેલીકોપ્ટરથી કૈરાના પહોંચી પીડિતોને મળશે

અમિત શાહ શનિવારે પશ્ચિમ યૂપીના કૈરાના જિલ્લાનો પ્રવાસ કરશે. ચૂંટણીના 19 દિવસ પહેલા અમિત શાહ શામલી જિલ્લાના કૈરાના વિધાનસભા સીટથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરવા થઈ રહ્યા છે. કૈરાના એજ જગ્યા છે જ્યાંના પલાયનના સમાચારને લીધે ચર્ચામાં છે. આજે હેલીકોપ્ટરથી કૈરાના પહોંચી પીડિતોને મળશે.

 શાહ બાગપત અને શામલી પાર્ટી પદાધિકારીઓ સાથે બેઠક કરશે

ડોર ટુ ડોર કાર્યક્રમના માધ્યમથી અમિત શાહ પીડિતો સાથે સંવાદ કરશે. બાદમાં શાહ બાગપત અને શામલી પાર્ટી પદાધિકારીઓ સાથે બેઠક કરશે. અને તે કૈરાનાથી ચૂંટણી અભિયાનની શરુઆત કરશે.  હકિકતમાં 2017ની ચૂંટણીમાં કૈરાનાથી હિંદુઓના પલાયનનો મોટો મુદ્દો બન્યો હતો. 2016માં ભાજપના તત્કાલીન સાંસદ હુકુમ સિંહે આ મુદ્દો ઉઠાવ્યો હતો.

કૈરાના સીટથી ભાજપે મૃગાંકા સિંહને આપી ટિકીટ

આરોપ લાગ્યા હતા કે મુસલમાનોના વધતા આતંકના કારણથી કૈરાનાથી હિંદુ પોતાના ઘર વેચવા માટે મજબૂર થયા હતા. ભાજપના નેતા હુકુમ સિંહે લિસ્ટ જારી કરી કૈરાનાથી હિંદુઓના પલાયનના મુદ્દો બનાવ્યો હતો. આ બાદ ભાજપે ગત ચૂંટણીમાં આ મુદ્દો બનાવ્યો હતો અને ભાજપે પૂર્વ સાંસદ હુકુમ સિંહની દીકરી મૃગાંકા સિંહને મૈદાનમાં ઉતાર્યા હતા. જોકે તે હારી ગઈ હતી.

કૈરાનામાં મુસ્લિમની વસ્તી હિંદુથી ચાર ગણાથી પણ વધારે 

હવે આને કૈરાનાની જરુરિયાત કહીએ કે રાજકીય પરંતુ તસવીર બદલાયેલી જોવા મળી રહી છે. 5 વર્ષ પહેલા કૈરાનાથી હિંદુઓના પલાયન ચૂંટણી મુદ્દો બનાવ્યો. પરંતુ આ વખતે 22 માં કૈરાનાના લોગો કહી રહ્યા છે કે તેમણે ગુંડા, ગુનેગારોથી મુક્તિ મળી છે. પરંતુ આ વખતે મૃગાંકા માટે શનિવારે ચૂંટણી પ્રચાર અમિત શાહ કરશે. આ માટે કૈરાના તેમનું સ્વાગત કરવા તૈયાર છે. કૈરાનામાં મુસ્લિમની વસ્તી હિંદુથી ચાર ગણાથી પણ વધારે છે. તેમ છતાં ચૂંટણીમાં જીતનું અંતર માત્ર 10 ટકાની નજીક હતુ.  ભાજપનો પ્રયાસ છે કે આ ચૂંટણીમાં આ અંતરને ઘટાડી દેવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

amit shah assembly elections door to door અમિત શાહ કૈરાના ચૂંટણી 2022 elections

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ