બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / ભાવનગરના સમાચાર / પરસોત્તમ સોલંકીના પુત્રને મળશે 2027માં ટિકિટ ? કોળી સમાજને આશા
Last Updated: 04:30 PM, 5 July 2026
Bhavnagar Politics: રાજ્યમાં 2027ની વિધાનસભા ચૂંટણીની ચર્ચા અને દાવેદારી અત્યારથી જ શરુ થઇ ગઇ છે. ભાવનગરમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને કોળી સમાજમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ વીટીવી સાથેની ખાસ વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
કોળી સમાજના આગેવાન અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવી મંત્રી બનાવવાની માગ થઇ રહી છે. પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનો આવતીકાલે એટલે કે 6 જુલાઈના જન્મદિવસ છે ત્યારે તેના એક દિવસ પુર્વે 5 જુલાઈએ અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનનું નિવેદન ચર્ચા સ્પદ બન્યું છે.

ADVERTISEMENT
પ્રવિણ કોળીનો દાવો છે કે કોળી સમાજ પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જોવા માંગે છે. દિવ્યેશ સોલંકીને યુવા અને સક્રિય નેતા ગણાવતા તેમણે અનેક મુદ્દાઓ પર પોતાની વાત મૂકી છે. 2027ની વિધાનસભા ચૂંટણી હજુ દૂર છે, પરંતુ ભાવનગરના રાજકારણમાં અત્યારથી જ ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.

ADVERTISEMENT
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ જણાવ્યું હતું કે, દિવ્યેશભાઈ સોલંકી અવારનવાર શિક્ષણને લગતા કાર્યોમાં હંમેશા ખૂબ જ સક્રિય રહે છે. અમે અવારનવાર વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરીએ ત્યારે લોકો જાણવા માગે છે કે ‘દિવ્યેશભાઈ ક્યારે ચૂંટણી લડવાના છે?’ તેમણે વધુમાં કહ્યુ કે, મારી સાથે જોડાયેલા તમામ યુવાનો અને આગેવાનોની એવી માગ છે કે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં દિવ્યેશભાઈ ચૂંટણી લડે અને ધારાસભ્ય બનીને મંત્રી પદ સુધી પહોંચે. સમાજના કોઇ પ્રશ્નો હોય, શિક્ષણની બાબત હોય તો દિવ્યેશભાઈ હંમેશા સમાજ પ્રત્યે ઊંડી લાગણી અને સક્રિયતા બતાવે છે. તેથી જ આખો સમાજ તેમને 2027માં મંત્રી તરીકે જોવા માગે છે.
પ્રવીણ કોળીએ કહ્યું કે, ભાજપ ટિકિટ આપે તો સૌરાષ્ટ્રની કોઈપણ કોળી બહુમત ધરાવતી બેઠક પરથી દિવ્યેશભાઈની જીત નિશ્ચિત છે. ભાજપ પક્ષે પણ આ બાબતની નોંધ લેવી જ પડશે કે દિવ્યેશભાઈ 2027માં ચૂંટણી લડશે અને મંત્રી બનશે.
ADVERTISEMENT
દિવ્યેશ સોલંકીએ શું કહ્યુ જાણો
દિવ્યેશ સોલંકીએ મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ચૂંટણી લડવાની વાત તો ઠીક છે પણ જો સમાજ માટે માથું આપવાનું થાય તો પણ તૈયાર છીએ અને વધુ માં કે પરસોતમભાઈ અને સમાજના આવેગાની જે નક્કી કરશે તે શીરો માન્ય રહેશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ એલર્ટ! / 60 કિમીની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું! સાથે 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
ADVERTISEMENT
ગુજરાતના રાજકારણમાં સમાજનું વર્ચસ્વ
ગુજરાતના રાજકારણમાં કોળી સમાજ મહત્વપૂર્ણ સામાજિક અને રાજકીય પ્રભાવ ધરાવે છે. રાજ્યની અનેક વિધાનસભા બેઠકો પર આ સમાજનું નોંધપાત્ર મતબળ હોવાથી લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષો આ સમાજના પ્રતિનિધિત્વને મહત્વ આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પણ કોળી સમાજના નેતૃત્વ અને રાજકીય પ્રતિનિધિત્વ અંગે સમયાંતરે ચર્ચાઓ થતી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.