યુક્રેનમાં પરિસ્થિતી ખરાબ થતા ત્યાના રાજદૂતે પીએમ મોદી પાસે મદદ માગી છે. જેમા તેમણે એવું કહ્યું કે રશિયાના ભારત સાથે સારા સંબંધ છે. જેથી પીએમ મોદી તાત્કાલીક પુતિનનો સંપર્ક કરે
યુક્રેને ભારત પાસેથી માગી મદદ
પીએમ મોદીને હસ્તક્ષેપ કરવા માટે કહ્યું
યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે માગી મદદ
I don't know how many world leaders Putin may listen to but status of Modi ji makes me hopeful that in case of his strong voice, Putin at least should think over. We are expecting for much more favourable attitude of the Indian govt: Dr Igor Polikha,Ambassador of Ukraine to India pic.twitter.com/YW4Z985eui
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ હવે યુક્રેન દ્વારા ભારત પાસેથી મદદ માગવમાં આવી છે. ત્યાના રાજદૂતે વડાપ્રધાન મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું છે. યુક્રેનના રાજદૂક ઈગોર પોલતાએ કહ્યું કે ભારત અને રશિયાના સંબંધો સારા છે. જેથી ભારત રશિયા અને યુક્રેનના વિવાદને કંટ્રોલ કરવા માટે મોટું યોગદાન આપી શકે છે.
રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરવા કહ્યું
યુક્રેનના રાજદૂત ઈગોર પોલખાએ પીએમ નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કી સાથે સંપર્ક કરે. આપને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ભારતનું વલણ ન્યૂટ્રલ રહ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભારતનું સ્ટેન્જ આ યુદ્ધ પર ન્યૂટ્રલ છે.
Police officers inspect the remains of a missile that fell in the street, after Russian President Vladimir Putin authorized a military operation in eastern Ukraine, in Kyiv
જે રીતે યુક્રેનમાં પરિસ્થિતી બગડી રહી છે. તેને લઈને ભારતે ત્યા હાજર લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમા ભારતે કહ્યું છે કે સ્થિતી ખરાબ છે તમે જ્યા છો ત્યાજ રહો. લોકોને તેમના ઘરમાં અને હોસ્ટલોમાં તેઓ જ્યા છે ત્યાજ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જે લોકો કીવ તરફ ગયા છે. તેમને પરત આવવા માટે કહેવામાં આવ્યું છે.
ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર
આ સિવાય યુક્રેનમાં જે ભારતીય વિદ્યાર્થીઓ છે તેમના માટે સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સાથેજ ત્યા ફસાયેલા લોકો વેબસાઈટ દ્વારા પણ મદદ માગી શકે છે. વિદેશ મંત્રાલયનો દિલ્હી કંટ્રોલ રૂમ હવે 24 કલાક કામ કરશે અને ત્યા જે પણ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે તેમની મદદ કરવામાં આવશે.
એરપોર્ટ બંધ થતા ફ્લાઈટ પરત આવી
ઉલ્લેખનીય છે કે યુક્રેનથી અત્યાર સુધીમાં એર ઈન્ડિયાની બે ફ્લાઈટ ભારતીય વિદ્યાર્થીઓને લઈને પરત ફરી છે. ત્રીજી ફ્લાઈટ પણ જવાની હતી પરંતું રશીયાએ યુક્રેનની રાજધાની પર જે હુમલો કર્યો તેના કારણે એરપોર્ટ બંધ તઈ ગયું. જેના કારણે ફ્લાઈટ વિદ્યાર્થીઓને લીધા વગર પરત આવી હતી.