ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / uidai will open 114 aadhaar seva kendra in 53 major cities of india know about fee and timing

કામની વાત / UIDAIની મોટી જાહેરાત: આધાર કાર્ડને લગતા કોઈ પણ કામ ફટાફટ પતી જશે, 53 શહેરોમાં ખુલશે નવા કેન્દ્રો

Published By: Pravin

Last Updated: 08:58 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં આધાર કાર્ડ આપની ઓળખાણ સાથે જોડાયેલ સૌથી મહત્વનું દસ્તાવેજ છે.ત્યારે હવે આધાર કાર્ડને લઈને એક મોટી અપડેટ આવી રહી છે. જે આપના માટે જાણવી ખૂબ જ જરૂરી છે.

ADVERTISEMENT

  • આધાર કાર્ડ સાથે જોડાયેલ કામો હવે ફટાફટ પતી જશે
  • નવા આધાર સેન્ટર ખોલવામાં આવશે
  • 53 શહેરોમાં 114 નવા આધાર સેન્ટરો ખુલશે

આજના સમયમાં આધાર કાર્ડ આપની ઓળખાણ સાથે જોડાયેલ સૌથી મહત્વનું દસ્તાવેજ છે. સરકારી યોજનાનો લાભ લેવો હોય, અથવા તો બેંક સાથે જોડાયેલ કોઈ કામ હોય, લગભગ તમામ જગ્યાએ આધાર કાર્ડ માગશે. જેવી રીતે આધારની જરૂરિયાત વધી રહી છે. તેની સાથે જોડાયેલ સમસ્યાનું નિવારણ લાવવા માટે તેટલી જ સંખ્યાામં આધાર સેવા કેન્દ્ર છે નહીં. હવે આ વાતને ધ્યાને રાખીને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ મોટો પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત દેશના મોટા શહેરોમાં સૈંકડો કેન્દ્રો ખોલવામાં આવશે. 

53 શહેરોમાં 114 કેન્દ્રો ખુલશે

UIDAIએ દેશના 53 મોટા શહેરોમાં કુલ 114 આધાર સેવા કેન્દ્ર ખોલવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ આધાર સેવા કેન્દ્ર દેશના તમામ મેટ્રો સિટી, તમામ રાજ્યોની રાજધાની અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખોલવામાં આવશે. હાલમાં દેશમાં ચાલી રહેલા આધાર સેવા કેન્દ્રોની વાત કરીએ તો, તેની કુલ સંખ્યા 88 છે. જેને વધારવાની તૈયારીઓ કરવામાં આવી છે. 

આધાર સાથે જોડાયેલ કામો માટે સેવા કેન્દ્રો ઉપરાંત દેશભરમાં 35,000થી વધારે આધાર સેન્ટર પણ ચાલી રહ્યા છે. જેનું સંચાલન બેંક, પોસ્ટ ઓફિસ અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

રવિવારે પણ ખુલ્લા રહે છે કેન્દ્રો

નવા આધાર કાર્ડ બનાવાના હોય કે પછી તેમાં કોઈ ફેરફાર કરવાના હોય, આપ આ આધાર સેવા કેન્દ્રો દ્વારા અઠવાડીયાના સાત દિવસોમાં સેવા લઈ શકશો. એટલે કે અઠવાડીયાની રજા પર પણ તે સવારે 9.30થી સાંજના 5.30 કલાક સુધી ખુલ્લા રહેશે. આ આધાર સેવા કેન્દ્રો પર વૃદ્ધો અને દિવ્યાંગજનો માટે ખાસ સુવિધા પણ આપવામાં આવી રહી છે. 

તેના દ્વારા આપ સરળતાથી બાયોમેટ્રિક સાથે જોડાયેલ કામ હોય અથવા તો આધારમાં નામ, સરનામા, જેંડર, જન્મતારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરાવી શકશો.

આધાર કાર્ડ અપડેટ કરાવાનો ચાર્જ

  • આધાર રજીસ્ટ્રેશન- ફ્રી
  • બાયોમેટ્રિક અપડેટ- 100 રૂપિયા
  • નામ, સરનામા, જન્મતારીખ- 50 રૂપિયા
  • બાળકોના બાયોમેટ્રિક- ફ્રી

ફી વધારે લે તો અહીં કરી શકશો ફરિયાદ

જો આપ કોઈ પણ આધાર કેન્દ્રમાં અપડેટ કરાવો છો, તો અહીં નિર્ધારિત ફીથી વધારે પૈસાની માગણી કરો તો, આવી સ્થિતિમાં આપની પાસે સંબંધિત ફરિયાદ કરવાનો વિકલ્પ પણ છે. આપની ફરિયાદ uidai.gov.in પર મેલના માધ્યમથી અથવા તો પછી ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને નોંધાવી શકશો. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhar Seva Kendra UIDAI aadhar card આધાર કાર્ડ આધાર સર્વિસ સેન્ટર aadhar card

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ