બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / Politics / અમદાવાદ / વડોદરા / Trying convince Ketan Enamdar who is upset! CR Patil said
Ajit Jadeja
Last Updated: 12:45 PM, 19 March 2024
Gujarat politics: કેતન ઇનામદારે વ્યક્ત કરેલી નારાજગી બાદ ભાજપનું નેતૃત્વ રીત સરનું ફફડી ઉઠ્યુ છે. અચાનક સાવલીના ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારએ રાજીનામું આપ્યુ છે એટલુ જ નહી ત્યારબાદ તેમણે આરોપ મુક્યો છે કે પક્ષમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે તેમનું માન સન્માન જળવાતું નથી. દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી આવતો. ઇનામદાર મીડિયા સામે ખુલીને બોલતા ભાજપમાં ભૂકંપની સ્થીતી સર્જાઇ છે. તાત્કાલીક પ્રદેશ ભાજપ અધ્યક્ષએ બેઠક બોલાવી છે. વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠક મળી હતી. જેમાં આ સંદર્ભે ચર્ચા થઇ હતી. એટલું જ નહી કેતન ઇનામદારને મનાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. જેને લઇને તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે.
કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ તેઓ ખુલીને ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના કરાતી હોવાનો આરોપ મુક્યો છે. એટલુ જ નહી તેમણે કહ્યુ જુના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે તેમનું આત્મ સન્માન જળવાતું નથી. કેતન ઇનામદારની નારાજગી બાદ નિવેદનની અસર ભાજપના કાર્યકર્તાઓ પર પડી શકે છે ત્યારે પ્રદેશ નેતૃત્વ દ્વારા તાબળતોબ કેતન ઇનામદારને મનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠક મળી હતી. જેમાં વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ હતી એટલુ જ નહી સુત્રોનું માનીએ તો ચૂંટણી સમયે આ નિવેદનની અસર ભાજપના કાર્યકરો પર થઇ શકે છે ત્યારે કેતન ઇનામદારને મનાવી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ રાજ્યમાં રાજકિય માહોલ ગરમાયો છે. ભાજપમાં ભૂકંપની સ્થીતી સર્જાઇ છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારે નારાજગી સામે આવતા હડકંપ મચ્યો છે. સાવલીના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ તેજ કરાયા છે. જિલ્લા પ્રભારી રાજેશ પાઠકે મુખ્યમંત્રી સાથે વાત કરાવી હતી. એટલુ જ નહી. CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે વીડિયો કોલથી વાત કરાવવામાં આવી હતી.
ભાજપમાં ભરતી મેળાથી જૂના કાર્યકરો નારાજ હોવાનો આરોપ રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે કર્યો હતો. ત્યારે કેતનના રાજીનામાને લઇ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યુ છે. પાટીલે કેતન ઇનામદારના નિવેદનનો જવાબ આપતા કહ્યુ કે પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. પક્ષમાં કોને લેવા એ પણ નક્કી કરાશે. કેતન ઈનામદારના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠકમાં વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થીત રહ્યા જેમાં કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ હતી.
સાવલી બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદાર ખુલીને પાર્ટી સામે બોલ્યા છે. તેમનું કહેવું છે કે હું બીજેપીનો વફાદાર અને જૂનો કાર્યકર છું અને રહીશ. પાર્ટીને જીતાડવા માટે હું હંમેશા મહેનત કરીશ. પરંતુ દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી હોતો. તેમણે બીજેપીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ મારા મતક્ષેત્રમાંથી હું લોકસભાના ઉમેદવારને સૌથી વધુ લીડ અપાવીશ. તે માટે હુ તત્પર છુ અને રાત દિવસ મહેનત કરીશ. આ રાજીનામું મારા અંતરઆત્માનો અવાજ છે. જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મે લોકોને માન સન્માન આપ્યું છે અને આપતો રહીશ. પરંતુ આપણા માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને વ્યાજબી લાગતી નથી. પાર્ટીમાં વિરોધીઓને મોટા કરવામાં આવી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે મીડિયાને જણાવ્યુ હતું કે પાર્ટીમાં કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાતું, દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે રાજકારણમાં નથી આવતા, હું ભલે નિમિત બન્યો છું પરંતુ ભાજપમાં પ્રત્યેક કાર્યકર્તાઓનો આ અવાજ છે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે હું પાર્ટીને બે હાથ જોડીને કહુ છુ કે પાર્ટી ભલે મોટી કરો પરંતુ જુના કાર્યકર્તાઓની અવગણના ના કરવી જોઇએ.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારે કહ્યુ કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કચાશ રહી ગઈ છે. મેં બધી જગ્યાએ રજૂઆત કરી છે. પરંતુ પાર્ટીને સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય તેવો ભ્રમ છે. મારા માટે માન સન્માન અને આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી. આ અવાજ માત્ર કેતન ઈનામદારનો નથી.ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ છે, હુ તો માત્ર નિમિત બન્યો છુ પરંતુ સત્ય એ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે જે ના થવી જોઇએ. હું આજે ભાજપનો કાર્યકર્તા છું. ધારાસભ્ય પદેથી આ રાજીનામુ મારા અંતરઆત્માનો અવાજ છે. માન સન્માનના ભોગે કોઈ વસ્તુ વ્યાજબી નથી.ભરતી મેળાથી માત્ર હું જ નહીં અનેક કાર્યકર્તા નારાજ છે. ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે.
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે બાંયો ચઢાવી હતી
સી આર પાટીલે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો
વિસ્તારમાં ‘સરકાર’ નામથી પ્રખ્યાત
2010માં જિલ્લા પંચાયતની ધનતેજ સીટ પરથી અપક્ષ જીત્યા હતા
વિધાનસભામાં ભાજપે 2012માં ટીકીટ ના આપતા અપક્ષ ચૂંટણી લડ્યા
સાવલી બેઠક પરથી 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ત્યાર બાદ 2017 અને 2022ની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીત્યા
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh