બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / વડોદરા / resignation BJP MLA Ketan Inamdar there is a stir in Gujarat politics

લોકસભા ચૂંટણી 2024 / ભાજપના MLA કેતન ઇનામદારના રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં હડકંપ, કહ્યું 'અંતર આત્માનો અવાજ...'

Ajit Jadeja

Last Updated: 08:26 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રે 2:30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું ધરી દેતા પક્ષના કાર્યકરો પણ વિચારતા થયા છે.

લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપને ઝટકો લાગ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દીધુ છે. મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને ફેક્સ કરી રાજીનામું મોકલ્યું છે.  છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષથી નારાજ હતા.  કેતન ઈનામદારનું અચાનક રાજીનામાથી રાજકારણ ગરમાયુ છે.

વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે મધરાતે રાજીનામું આપ્યું છે. રાત્રે 2:30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું ધરી દેતા પક્ષના કાર્યકરો પણ વિચારતા થયા છે. તેઓએ અંતરઆત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. કેતન ઇનામદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. સાવલી વિધાનસભા પર મજબૂત પક્કડ કેતન ઈનામદાર ધરાવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.

ડેરીમાં ભ્રષ્ટ્રાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો

ખેડૂતોના મુદ્દા તેઓ હંમેશા ઉઠાવતા રહ્યા છે.  વડોદરાની બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે કેતન ઇનામદારે સંમેલન પણ યોજ્યુ હતું. અને બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકોએ તેમની સાથે રહ્યા હતા. ત્યારે તેઓએ લલકાર કરતા કહ્યુ હતું કે 'કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે, વહીવટદારોની અનધડ નીતિને કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. બરોડા ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ. પશુ પાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારા અવાજને કોઈ દબાઈ શકશે નહીં. હું મરતે દમ તક લડીશ.'

આ પણ વાંચોઃ પાટીદાર દીકરી પર આપેલા નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની સાથે EXCLUSIVE વાતચીત, જણાવી હકીકત

અગાઉ રાજીનામુ આપી માની ગયા હતા

આ પહેલીવાર નથી કે તેઓએ રાજીનામુ આપ્યુ હોય, 2020 માં કેતન ઇનામદાર રાજીનામું આપી ચુક્યા છે જો કે બાદમાં તેમને મનાવી લેવાયા હતા. ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ સાવલી નગરપાલિકામાં અસર જોવા મળી હતી અને MGVCLએ સાવલી નગર પાલિકાનું ફરી વીજ કનેક્શન શરૂ કર્યું હતું. બીલ ન ભર્યું હોવા છતાં MGVCL દ્વારા વીજ કનેક્શન શરૂ કરવું પડ્યુ હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ