આજે વહેલી સવારે રાજ્યના 79 IAS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. મુખ્ય વહીવટી વિભાગ(GAD)ના આદેશ દ્વારા રાજ્યના 79 IASઓની તાત્કાલિક બદલી અને બઢતીના આદેશ અપાયા છે. સરકારના અંગત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગઈ કાલે અમિત શાહ અને પ્રદિપસિંહ વચ્ચે બંધબારણે થયેલી બેઠકમાં શાહે ગુજરાત સરકારે તૈયાર કરેલાં બદલી અને બઢતીના લિસ્ટ પર આખરી મહોર મારી હતી.
રાજ્યના અનેક જિલ્લાઓના કલેક્ટરો અને શહેરોના કમિશ્નરોની બદલી કરાયી છે. આ સાથે અનેક વિભાગોના સચિવો અને કમિશ્નરોની પણ બદલી કરાયી છે. આ સાથે સિનિયર IAS અધિકારીઓની ટીમમાંથી અમુકને બઢતીના પણ આદેશ અપાયા છે.