બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજથી 24 જુલાઈ સુધી આ રૂટ પરથી પસાર થનારી ટ્રેનો રદ, જોઇ લેજો લિસ્ટ

કામની વાત / આજથી 24 જુલાઈ સુધી આ રૂટ પરથી પસાર થનારી ટ્રેનો રદ, જોઇ લેજો લિસ્ટ

Published By: Bijal Vyas

Last Updated: 11:56 AM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Train Cancel:ટ્રેનના મુસાફરોએ નોંધ લેવી કે સેન્ટ્રલ રેલવેના કરજત-લોનાવલા ઘાટ સેક્શનમાં ભૂસ્ખલનને કારણે ટ્રેક સમારકામની કામગીરી ચાલી રહી છે, જેના પરિણામે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.

શું તમને પણ એવું લાગે છે કે એકવાર ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળી જાય, પછી માત્ર મુસાફરીના દિવસે સ્ટેશન પર પહોંચીને આરામથી મુસાફરી થાય છે? જો એમ હોય, તો આવી વિચારસરણી તમને ભારે પડી શકે છે, કારણ કે રેલવે ઘણીવાર જરૂરી કામકાજને લીધે ટ્રેન સંચાલનમાં ફેરફાર કરતી હોય છે.જો તમે આગામી દિવસોમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા હોય, તો કૃપા કરીને નોંધ લો કે સેન્ટ્રલ રેલવેના કરજત-લોનાવાલા ઘાટ સેક્શનમાં લેન્ડસ્લાઇડના કારણે હાલમાં ટ્રેક સમારકામની કામગીરી ચાલી રહી છે. પરિણામે, રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. આજથી એટલે કે 18 જુલાઈથી 24 જુલાઈ સુધી ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.

કઇ કઇ ટ્રેનો રેલ્વેએ કરી કેન્સલ?

  • ટ્રેન નંબર 11028 સતારા-દાદર 18, 20, 21 અને 25 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 22944 ઈન્દોર-દૌંડ 18 થી 24 જુલાઈ દરમિયાન રદ રહેશે.
  • ટ્રેન નંબર 11027 દાદર-સતારા 19, 20 અને 24 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 20496 હડપસર-જોધપુર 18 થી 24 જુલાઈ દરમિયાન દોડશે નહીં.
  • ટ્રેન નંબર 20495 જોધપુર-હડપસર 18 થી 24 જુલાઈ દરમિયાન દોડશે નહીં.
  • ટ્રેન નંબર 22732 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ - હૈદરાબાદ 18 થી 24 જુલાઈ દરમિયાન દોડશે નહીં.
  • ટ્રેન નંબર 22731 હૈદરાબાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ 18 થી 24 જુલાઈ દરમિયાન દોડશે નહીં.
  • ટ્રેન નંબર 22943 દૌંડ–ઈન્દોર 18 થી 24 જુલાઈ દરમિયાન રદ રહેશે.
  • ટ્રેન નંબર 22157 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)–ચેન્નાઈ સેન્ટ્રલ 18 થી 24 જુલાઈ દરમિયાન રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર 11042 શિરડી-દાદર 19, 22, 23 અને 24 જુલાઈના રોજ દોડશે નહીં.
  • ટ્રેન નંબર 11041 દાદર-શિરડી 18, 21, 22 અને 23 જુલાઈના રોજ દોડશે નહીં.
  • ટ્રેન નંબર 22158 ચેન્નાઈ સેન્ટ્રલ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ 18 થી 24 જુલાઈ દરમિયાન રદ રહેશે.

આ પણ વાંચોઃ દેશની સૌથી મોટી પરીક્ષા એજન્સીમાં નોકરીનો મોકો, સેલરી 2,00,000 સુધી

સફર પહેલા કરો આ કામ

રેલવેએ મુસાફરોને સલાહ આપી છે કે સ્ટેશન પર પહોંચ્યા પછી કોઈ અગવડતા ન પડે તે માટે તેઓ સ્ટેશન માટે નીકળતા પહેલા ટ્રેનની તાજેતરની સ્થિતિ તપાસી લે. આ માટે તમે રેલવેના હેલ્પલાઇન નંબરનો પણ ઉપયોગ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

indian railways trains karjat lonavala ghat section route trains cancelled

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ