બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / This Ganesh Temple, which is close to Ahmedabad, will have a one-day picnic along with darshan

ગણેશ ચતુર્થી / અમદાવાદની નજીક આવેલા છે આ ગણેશ મંદિર, દર્શનની સાથે વન-ડે પિકનિક પણ થઈ જશે

Published By: Bhushita

Last Updated: 02:38 PM, 2 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ગણેશ ચતુર્થીનો પાવન અવસર ચાલી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરે ગણેશજીની આરાધના કરે છે. આ તહેવારમાં જો તમે કોઈ મંદિરની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમે અમદાવાદની નજીકમાં આવેલા આ ગણેશ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી શકો છો.

ગણેશ મંદિર, કોઠ

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે ૨૦ કિલોમીટર તેમ જ જિલ્લા મથક અમદાવાદથી ૬૨ કિલોમીટર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બગોદરાથી ૧૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ ઉપરાંત એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ જેટલી ઊંચી છે. અમદાવાદથી આ ગણપતિ મંદિરનાં દર્શને જવા માટે ઘણી બસો ઉપલ્બધ છે.

સિદ્ધી વિનાયક મંદિર, મહેમદાવાદ

અમદાવાદથી 25 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાંથી જ્યોત આ મંદિરમાં લાવવામાં આવી છે. આ મંદિરની સ્થાપના 2011માં કરવામાં આવી છે. 6 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું આ મંદિર જમીનથી 56 ફૂટ ઊંચું છે. આ મંદિરનો આકાર ગણેશજીના સ્વરૂપનો છે. મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંજ કે સિમેન્ટનો ઉપયોગ થયો નથી. લગભગ 14 કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

ગણપતિ મંદિર, અમદાવાદ

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે. આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. આ મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. આ મંદિરમાં ગજાનની બે મૂર્તિઓ છે. એક મૂર્તિ જમણી સૂંઢવાળા ગણપતિની છે અને અન્ય મૂર્તિ આરસપહાણમાંથી બનેલી છે. તેની સૂંઢ ડાબી તરફ છે અને તે સિંદૂરના કલરની છે. બારેમાસ આ મંદિરમાં ભીડ રહે છે. ભક્તો અહીં બાપ્પાને પ્રિય એવા બૂંદીના લાડુ અવશ્ય ચઢાવે છે. 

ફોટો સૌજન્ય - Wikipedia
 

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi 2019 Temples Travel Visit Ganesha Temple ગણેશ મંદિરો વન-ડે પિકનિક Ganesh Chaturthi 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ