બ્રેકિંગ ન્યુઝ
વરિયાળી:
વરિયાળી એસિડીટી ઠીક કરીને પેટને રાહત પહોંચાડે છે. 1 મોટી ચમચી વરિયાળી 2 કપ પાણીમાં ઉકાળી લો અને દિવસમાં 2-3 વખત લો. તેનાથી નાના-મોટા આંતરડાને ફાયદો થશે. જમવાના 5-10 મિનિટ પછી વરિયાળી લેવાથી ફાયદો થાય છે.
ADVERTISEMENT
અજમો:

ADVERTISEMENT
ગેસ અને એસિડિટીની સમસ્યા જો રહેતી હોય તે અજમાનું નિયમિત સેવન કરવું ફાયદાકારક છે. જો તમારે આ ઉપાય નિયમિત નથી કરવો તો જે દિવસે વધારે તીખી-મસાલાવાળી વાનગીઓનું સેવન કર્યુ હોય તો અજમાને જરૂરથી ખાઓ. આ પેટમાં રહેલા હાનિકારક તત્વોને ખત્મ કરી દે છે. ખાસ વાત છે કે અજમામાં કેલ્શિયમ હોય છે જે હાડકાઓ માટે ફાયદારૂપ છે. ભોજન કર્યાના 10 મિનિટ પછી એક નાની ચમચી અજમામાં સીંધાણુ કે મીઠું મિક્સ કરીને ખાઇ લો અને એક ગ્લાસ પાણી પી લો. આ સિવાય તમે શાકભાજીમાં પણ અજમો નાખીને ખાઇ શકો છો.
સૂંઠ:
સૂંઠને ગેસ ઓછો કરવામાં મદદ કરે છે. નિયમિત સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત રહે છે. પેટમાં એન્ઝાઈમ પૂરતી માત્રામાં નીકળે છે. અડધી ચમચી સૂંઠ નોર્મલ કે હૂંફાળા પાણી સાથે જમવાથી 10-15 મિનિટ પછી લેવુ જોઇએ.
ADVERTISEMENT
હરડે:

ADVERTISEMENT
અપચામાં હરડે રામબાણ ઈલાજ છે. પેટના રોગોમાં તે ખૂબ જ ફાયદારૂ છે. પેટને સાફ રાખે છે અને ખાવાનું પણ જલ્દી પચાવવામાં મદદ કરે છે. જમવાની 10-15 મિનિટ પછી અડધી ચમચી હરડે સાદા પાણી સાથે લેવી જોઇએ.
તુલસી:
એસિડિટીમાં તુલસીનું પાન પણ રાહત આપે છે. તે પેટના અલ્સરથી બચાવે છે અને પાચન મજબૂત કરે છે. રોજ 3-4 તુલસીના પાનનું સેવન કરવાથી પેટ સારું રહે છે અને પાણીમાં ઉકાળીને લેવાથી વધારે ફાયદારૂપ રહે છે.
ADVERTISEMENT
હીંગ:

ADVERTISEMENT
ભોજન બનાવવામાં હીંગનો મોટા પાયે ઉપયોગ થાય છે. તેની સુગંધ ભૂખ વધારે છે અને તે પાચન માટે પણ ફાયદારૂપ છે. તેના નિયમિત સેવનથી પાચન માટે નીકળતા એન્ઝાઇમ યોગ્ય માત્રામાં નીકળે છે. હીંગને ડૂંટી પર લગાવવાથી પણ ગેસની સમસ્યાથી છૂટકારો મળે છે અને પેટના દુખાવામાં રાહત મળે છે. બાળકો માટે હીંગ ખૂબ જ ફાયદારૂપ છે.
લવિંગ:
લવિંગનું નિયમિત સેવન પેટને સ્વસ્થ રાખે છે. જમવાના 10 મિનિટ પછી લવિંગની એક કે બે કળી ચાવી જાવ. આમ કરવાથી જમવાનું પચી જશે અને પેટ સાફ થશે. લવિંગની કળી ચાવવાથી પેઢા પણ મજબૂત બને છે. તેને ચા સાથે પણ લઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.