બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Hanuman Jayanti 2025: દેશનું એકમાત્ર મંદિર જ્યાં પત્ની સાથે પૂજાય છે બજરંગબલી, કથામાં બ્રહ્મચર્યનો ઉલ્લેખ

તેલંગાણા / Hanuman Jayanti 2025: દેશનું એકમાત્ર મંદિર જ્યાં પત્ની સાથે પૂજાય છે બજરંગબલી, કથામાં બ્રહ્મચર્યનો ઉલ્લેખ

Last Updated: 01:10 PM, 12 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન હનુમાનજીની તેમની પત્ની સુવર્ચલા દેવીની સાથે પૂજા કરવામાં આવે છે

આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સંકટમોચન હનુમાનને બાળ બ્રહ્મચારી તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવું મંદિર છે જ્યાં હનુમાનજીની સાથે તેમની પત્ની સુવર્ચલા પણ પૂજાય છે. ચાલો જાણીએ દેશના આ અનોખા મંદિર વિશે.

શ્રી સુવર્ચલા સહિત હનુમાન મંદિરની માન્યતા શું છે?

શ્રી સુવર્ચલા સમેથા હનુમાન મંદિર તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એલાંડુ ગામમાં આવેલું છે. આ મંદિરમાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલા દેવીની પૂજા કરવામાં આવે છે. મંદિરના પૂજારી પી. સિંહા આચાર્યલુના જણાવ્યા અનુસાર, 'શ્રી સુવર્ચલા સહિત હનુમાન મંદિર માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન હનુમાનજીની તેમની પત્ની સુવર્ચલા દેવીની સાથે પૂજા કરવામાં આવે છે.' આ મંદિરની સ્થાપના વર્ષ 2006 માં કરવામાં આવી હતી. દર વર્ષે અહીંના સ્થાનિક લોકો જ્યેષ્ઠ શુક્લ દશમીના રોજ ભગવાન હનુમાનના લગ્નની ઉજવણી કરે છે. જોકે, ઉત્તર ભારતમાં રહેતા લોકો માટે આ ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે, કારણ કે ભક્તો તેમને બાલ બ્રહ્મચારી તરીકે પૂજે છે.

મંદિરના પૂજારી પી. સિંહાએ વધુમાં કહ્યું, 'હનુમાનજી સૂર્યને પોતાના ગુરુ માનતા હતા. સૂર્યદેવ પાસે નવ દૈવી શક્તિઓ હતી. હનુમાનજી બધા વિષયોનો અભ્યાસ કરવા માંગતા હતા. પરંતુ સૂર્યદેવ હનુમાનજીને 9 માંથી ફક્ત 5 વિદ્યા જ શીખવી શક્યા. કારણ કે બાકીના 4 વિષયો ફક્ત તે શિષ્યોને જ આપી શકાતા હતા જેઓ પરિણીત હતા.

પરંતુ હનુમાનજી અપરિણીત હતા. તેથી, સૂર્યદેવને બાકીના ચાર વિષયો શીખવવામાં મુશ્કેલી પડી રહી હતી. વાસ્તવમાં, શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે, હનુમાનજીને ગૃહસ્થ જીવનમાં થોડો સમય વિતાવવો પડે તેમ હતો, અને આ માટે હનુમાનજીના લગ્ન થવા જરૂરી હતા. આના પર સૂર્યદેવને એક વિચાર આવ્યો અને તેમણે હનુમાનજીને લગ્ન કરવાનું સૂચન કર્યું. શરૂઆતમાં તો હનુમાનજી લગ્ન માટે બિલકુલ સંમત ન થયા જો કે બાકીની 4 વિદ્યાઓ ફક્ત પરિણીત વ્યક્તિ જ મેળવી શકે તેમ હોવાથી તેમણે લગ્નનું સૂચન સ્વીકારી લીધું. આ પછી, હનુમાનજીના ગુરુ સૂર્ય ભગવાને હનુમાનજીના લગ્ન તેમની પુત્રી સુવર્ચલા સાથે કરાવ્યા.

લગ્ન પહેલા હનુમાનજીએ સૂર્યદેવને કહ્યું હતું કે, 'હું બાળપણથી જ બ્રહ્મચારી છું.' તો પછી હું લગ્ન કેવી રીતે કરી શકું? ત્યારે ભગવાન સૂર્યએ જવાબ આપ્યો કે મારી પુત્રી સાથે લગ્ન કર્યા પછી પણ તમે બ્રહ્મચારી અને તપસ્વી રહી શકો છો. આ પછી, હનુમાનજીના લગ્ન ભગવાન સૂર્યની પુત્રી સુવર્ચલા દેવી સાથે થયા. જોકે, લગ્ન પછી બંને પોતપોતાની તપસ્યામાં પાછા ફર્યા. તે લગ્ન ફક્ત હનુમાનજીને બાકીની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતના પ્રખ્યાત 5 હનુમાનજીના મંદિર, કાના કડિયાએ બનાવેલી મૂર્તિ જગવિખ્યાત, કરો દર્શન

એવી માન્યતા છે કે જે પણ ભક્ત હનુમાન અને દેવી સુવર્ચલાને સમર્પિત આ મંદિરમાં પૂજા કરે છે, તેના જીવનની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. લગ્નજીવન સંબંધિત અવરોધોનો અંત આવે છે, અને ધીમા પડેલા રોજગાર અને વ્યવસાયને વેગ મળે છે. એટલા માટે ભક્તો દૂર દૂરથી અહીં હનુમાનજી અને દેવી સુવર્ચલાના આશીર્વાદ મેળવવા માટે આ મંદિરે આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Worshiped With Wife Hanumanji Temple Hanuman Jayanti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ