બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રવિવારે પંજાબના ફગવાડામાં કોન્ગ્રેસના ધારાસભ્ય બલવિન્દર સિંહ ધાલીવાલનાં જન સમર્થન રેલીને સંબોધતા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજ્યોત સિંહ સિદ્ધુએ જનસભાને એવો વાયદો કર્યો હતો કે,પંજાબમાં કોંગ્રેસની સરકાર આવતા જ 5 લાખ ગરીબોને નોકરી અપાવાશે. જો એવું નહિ થાય તો તે રાજનીતિ છોડી દેશે. ઉપરાંત કોંગ્રેસ નેતાએ પંજાબમાંથી ધરમૂળથી માફિયા રાજ ખતમ કરવાની વાત પણ ઉચ્ચારી હતી.
બીજા પક્ષના નેતાઓને ભાજપ ડરાવે છે ;સિદ્ધુ
ADVERTISEMENT
રેલી દરમિયાન સિદ્ધુએ ભાજપ પર સંધાન કરતા કહ્યું કે, જાલંધરમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કાર્યાલય પાંચ વર્ષ સુધી નથી ખોલ્યું કારણકે,પાર્ટી નેતાઓને ખબર હતી કે, ખેડૂતોનો વિરોધ સહન કરવો પડશે.કોંગ્રેસ અધ્ય્સ્ખે તેમના આરોપમાં એવું પણ કહ્યું કે, ડરાવી-ધમકાવીને અને EDનો ભય દર્શાવીને ભાજપ બીજા દળના નેતાઓને પોતાની સાથે સામેલ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.