બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / The thief who fell asleep after stealing from the temple, wakes up in the morning and says, "Sleep, it feels cold."
ADVERTISEMENT
શાજાપુરના લાલબાઈ ફુલબાઈ મંદિરમાં એક ચોરે રાત્રે ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરે મંદિર ના સેવાદારના ઓરડામાં રાખેલા ત્રિશૂળની મદદથી લોકને તોડી નાખ્યા અને રૂમમાં રાખેલી બધી ચીજોને કોથળીમાં બાંધી દીધી, ત્યારબાદ તે સૂઈ ગયો.
સેવાદારોએ 100 ડાયલ કરીને પોલીસને બોલાવી
ADVERTISEMENT
સવારે મંદિર ના સેવકો મંદિરમાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે મંદિરમાં ત્રિશૂળ નથી અને નજીકના ઓરડાના તાળા તૂટેલા છે અને દરવાજો અંદરથી બંધ છે ત્યારે આ અંગે તેમણે 100 ડાયલ કરીને પોલીસને માહિતી આપી. સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સેવાદારના ઓરડાની અંદરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બદમાશે દરવાજો ખોલ્યો ન હતો. આ પછી પોલીસે દરવાજો તોડી પાડ્યો હતો.
પોલીસે સેવાદારના રૂમમાં પહોંચતાં જ જોયું કે એક વ્યક્તિ પલંગ પર સૂઈ ગઈ હતી. પોલીસે તેને જ્યારે ઉઠાડયો ત્યારે તેણે કહ્યું કે શરદી ઘણી વધારે છે મને સૂવા દો પોલીસ ના કહેવા મુજબ આ વ્યક્તિ મંદિરમાં ચોરી કરવાના ઇરાદે ભરાયો હતો, પરંતુ ઠંડીને કારણે ત્યાં તેની ઊંઘ શરૂ થઈ ગઈ. પોલીસનું માનવું છે કે ઉપરોક્ત યુવક માનસિક રીતે વિક્ષિપ્ત થયેલ છે, તેથી પોલીસે પુછપરછ બાદ આ યુવકને મુકત કરી દીધો હતો.
ADVERTISEMENT
સેવાદારો કહે, મંદિર તેના ચમત્કારો માટે જાણીતું છે
મંદિરના સેવાદારોએ કહ્યું હતું કે શાજાપુર શહેરના સૌથી પ્રાચીન મંદિરોમાંના એક લાલબાઈ ફુલબાઈ મંદિર , તેના ચમત્કારો માટે જાણીતું છે. મંદિરના કારભારી મોહિત રાઠોડનું કહેવું છે કે આ પહેલા પણ મંદિરને ચોરી કરવાના અનેક પ્રયાસો થયા હતા, પરંતુ બદમાશો ક્યારેય મંદિરમાંથી ચોરી કરવામાં સફળ થયા નહોતા. ભૂતકાળમાં, એક બદમાશે મંદિરમાંથી તલવારો અને ઈંટની ચોરી કરી હતી, જે ઘટનાના 2 દિવસ પછી મંદિર પરિસરમાં મળી હતી.
ADVERTISEMENT
આવી જ રીતે ગઈ કાલે રાત્રે મંદિરમાં વધુ એક વાર ચોરીની ઘટના બનતાઓ બનતા રહી ગઈ હતી, અહીં આ ચોર ચોરીના ઇરાદે મંદિરની બધી વસ્તુઓ બેગમાં ભરી દીધી હતી, પરંતુ આ ચમત્કાર છે કે તે ચોર ઊંઘી ગયો જેના કારણે તે ચોરીના પ્રયાસમાં નિષ્ફળ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.