ગુજરાતની સમજદારી વિશે કોઈ શંકા કરીએ તો આપણી અણસમજ ગણાય. દુનિયાની સંસ્કૃતિઓમાંથી સારું વીણીને જતન કરેલી આપણી પરંપરા છે. ગાંધીજી અને સરદાર આ માટીમાં જન્મ્યા અને વિશ્વના એકતા અને શાંતિના પથદર્શક બન્યા. આ પથ, આ રસ્તો સદીઓ સુધી ઝગમતો રહેવાનો છે, ચાહે હું અને તમે રહીએ ના રહીએ. તો શાસનમાં પરપીડા સમજાવતા રાજા-મહારાજાઓના દાખલા આપણાં ગુજરાતમાં ક્યાં ઓછા છે? શાસન અને શાસકમાં સંવેદના શું હોય એ ભાવનગરના મહારાજા ભાવસિંહજી અને એમના વંશજ કૃષ્ણકુમારસિંહજી કરતા વધારે સારી રીતે કોણે સમજાવ્યું છે? પોતાની રૈયતના સ્વમાન અને સ્વભિમાન માટે એક રાજાએ શું કરવું પડે એ આપણને ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ શિખવ્યું છે, અને પરંપરાની એ ધારાઓમાં ગુજરાતને વહાવ્યું છે જે પરંપરા આજે પણ આપણને ઉંચાઈઓ બક્ષે છે. પાણી માટે વલખા મારતા ગુજરાતને તળાવો અને વાવની ભેટ આપનારા સિદ્ધરાજ જયસિંહને કોને દિલમાં ન વસાવવા પડે એ પૂછવાનો સવાલ છે. તો, માં ભારતીના રક્ષણ માટે જનરલ મહારાજા રાજેન્દ્રસિંહના પરાક્રમો આજે પણ આપણને શૌર્યકથામાં રોમાંચિત કરે છે. એ ગુજરાતની પરંપરા અને સંવેદનાને ઉજાગર કરવાની કસોટીમાં પાર ઉતરવાની આ ક્ષણ છે. જ્યારે ગુજરાતનું ભલુ શેમાં છે એ વિચાર ન માત્ર સામાન્ય માણસ માટે પણ સમાજના એ દરેક મોભીઓ માટે પણ મંથનનો વિષય બનવો જોઈએ. સત્તા, રાજ, કાજ, ધર્મ એ તમામ ગુણો અને જશની વચ્ચે ગુજરાત એ પહેલો ધર્મ હોવો જોઈએ, ગુજરાત એ જ પહેલું કર્મ હોવું જોઈએ. અને એટલે જ ગુજરાતમાં સર્જાયેલી પરિસ્થિતિ એ મંથન માગે છે કે વાસ્તવમાં એ ગુજરાતનું ભલું છે શેમાં.
જાણો સમગ્ર વિવાદની ટાઈમ લાઈન
- 2 માર્ચે રાજકોટ લોકસભા બેઠક પર પરશોતમ રૂપાલાનુ નામ જાહેર
- ભાજપે વર્તમાન સાંસદ મોહન કુંડારીયાની ટિકિટ કાપીને રૂપાલાની પસંદગી કરી
- રાજકોટ બેઠક પર કોંગ્રેસ હજુ સુધી ઉમેદવાર જાહેર કરી શકી નથી
- 5 માર્ચે રૂપાલાએ કુવાડવાના ત્રિમંદિરથી લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો
- 5 માર્ચે રૂપાલાએ પારેવડી ચોકથી ભાજપ કાર્યાલય સુધી રોડ શો કર્યો
- 5 માર્ચે રૂપાલાએ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી
- 7 માર્ચે પરશોતમ રૂપાલાએ રાજકોટમાં ચૂંટણી પ્રચાર કર્યો
- 14 માર્ચે ટંકારા તાલુકાના જબલપુર અને લજાઈ ગામે પ્રચાર કર્યો
- 15 માર્ચે રાજકોટમાં પરશોતમ રૂપાલાએ લખેલા 'સાગર પરિક્રમા' પુસ્તકનુ વિમોચન
- 16 માર્ચે ચૂંટણી પ્રચાર અંતર્ગત વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સાથે બેઠક
- 18 માર્ચે રૂપાલાએ કુંવરજી બાવળીયા સાથે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના ઘરે ભોજન લીધું
- 24 માર્ચે પરશોતમ રૂપાલાનો વિવાદિત વીડિયો સામે આવ્યો
- 24 માર્ચે કોંગ્રેસના મહેશ રાજપૂતે રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો
- 24 માર્ચે પાર્થિવરાજ કઠવાડિયાએ રૂપાલાના નિવેદન સામે વિરોધ કર્યો
- 24 માર્ચે રૂપાલાએ નિવેદન બાબતે માફી માગી અને સ્પષ્ટતા કરી
- 24 માર્ચે ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ રૂપાલાના નિવેદનને વખોડ્યુ
- 26 માર્ચે રાજકોટમાં ક્ષત્રિય સમાજે બહુમાળી ભવન ખાતે વિરોધ કર્યો
- 27 માર્ચે કરણી સેનાના અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાએ નિવેદનનો વિરોધ કર્યો
- 27 માર્ચે બનાસકાંઠામાં ક્ષત્રિય સમાજ, જામનગરમાં નયનાબા જાડેજાનો વિરોધ
- 28 માર્ચે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટ પહોંચી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી
- 28 માર્ચે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજ ભવનમાં 70 સંસ્થાના અગ્રણીઓની બેઠક
- 28 માર્ચે પરશોતમ રૂપાલાએ ખોડલધામ ખાતે દર્શન કર્યા
- 28 માર્ચે ક્ષત્રિય સમાજના રોષને ઠારવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપાઈ
- 29 માર્ચે કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજ આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો
- 29 માર્ચે ક્ષત્રિય સમાજના વિરોધના પગલે રૂપાલાની સુરક્ષામાં વધારો કરાયો
- 29 માર્ચે અરવલ્લી જિલ્લામાં ક્ષત્રિય સમાજનુ વિરોધ પ્રદર્શન
- 29 માર્ચે વિવાદને શાંત પાડવા ઘડાઈ રણનીતિ, ગોંડલમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કર્યા બાદ ગધેથડના ગાયત્રીધામ આશ્રમમાં લાલબાપુ સમક્ષ રૂપાલા માગશે માફી
- 29 માર્ચે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં પરશોતમ રૂપાલાએ બે હાથ જોડીને માફી માગી
- 29 માર્ચે ગોંડલની બેઠક બાદ ગધેથડના ગાયત્રીધામ આશ્રમમાં જઈ લાલબાપુના આશીર્વાદ લીધા
- 30 માર્ચે કરણીસેનાએ અમદાવાદમાં બેઠક કરી સમાધાનને ફગાવી વિરોધ યથાવત રાખવાનો નિર્ણય કર્યો
- 30 માર્ચે બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, આણંદમાં ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ
- 30 માર્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનુ નિવેદન, માત્ર ક્ષત્રિય સમાજ નહી પણ દરેક સમાજનુ અપમાન
- 30 માર્ચે રાજકોટમાં કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાની આગેવાની હેઠળ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે પૂતળા દહન કરાયુ
- 30 માર્ચે કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી
- 31 માર્ચે ભાવનગર APMCના ડિરેક્ટર અને ભાજપ નેતા સંજયસિંહ ગોહિલે રૂપાલાના સ્થાને અન્યને ટિકિટ આપવા માગ કરી
- 31 માર્ચે રાજકોટમાં અમીન માર્ગ રૂપાલાના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- 31 માર્ચે સુરતમાં વાલ્મિકી સમાજે રૂપાલાનો વિરોધ કર્યો
- 31 માર્ચે ક્ષત્રિય યુવક અને પરશોતમ રૂપાલા વચ્ચેની ઓડિયો ક્લીપ વાયરલ
- 31 માર્ચે રાજકોટના પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો
- 1 એપ્રિલે કરણી સેનાના અધ્યક્ષ પી.ટી.જાડેજાએ રૂપાલાને નહી બદલવામા આવે તો દેશભરમાં આંદોલન કરવાની ચીમકી આપી
- 1 એપ્રિલે જામનગર જિલ્લાના વાગુદડમાં રૂપાલાના નિવેદનના વિરોધમાં બેનર લગાવ્યા
- 1 એપ્રિલે રૂપાલાએ પ્રથમ વખત મીડિયા સામે આવીને ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણી ભૂલ હોવાનુ જણાવી માફી માગી હોવાનુ કહ્યુ
- 1 એપ્રિલે રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજે રૂપાલાના નિવેદન બાબતે આવેદનપત્ર આપ્યા
- 1 એપ્રિલે ભાવનગરના જયવીરરાજસિંહ ગોહિલે રૂપાલાના નિવેદન બાબતે વાંધો ઉઠાવ્યો
- 1 એપ્રિલે રાજકોટના ઉપલેટામાં રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના વિરોધમાં બેનર લાગ્યા
- 1 એપ્રિલે પાટણમાં ક્ષત્રિય સમાજે વિરોધ કરી આવેદનપત્ર આપ્યુ
- 1 એપ્રિલે રાજકોટ ભાજપ કાર્યાલયે મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ગોવિંદ પટેલ અને જીતુ સોમાણી રૂપાલાને મળવા ગયા
- 1 એપ્રિલે ક્ષત્રિય સમાજના ગીતાબેન ગીડાએ રૂપાલાને માફ કરવા વિનંતી કરી
- 2 એપ્રિલે રૂપાલાના નિવેદન બાબતે વઢવાણ સ્ટેટના સિદ્ધાર્થસિંહ ઝાલાએ રૂપાલાની ટિકિટ રદ માગ કરી
- 2 એપ્રિલે રાજકોટ કલેક્ટરે નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી મારફત તપાસ કરાવી ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો
- 2 એપ્રિલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો વિરોધ કરતા પોસ્ટર્સ લાગ્યા, ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી ફરમાવી
- 2 એપ્રિલે વડોદરામાં ક્ષત્રિય સમાજે રૂપાલાનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યુ
- 2 એપ્રિલે રૂપાલાની ટિપ્પણી મામલે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભાજપની વિરૂદ્ધમાં લાગ્યા પોસ્ટર
- 2 એપ્રિલે રૂપાલાના નિવેદન અંગે પ્રથમ વખત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનુ નિવેદન
- 'રૂપાલાએ 3 વખત માફી માગી છે હવે તેમને માફ કરી દો', 'રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરે'
- 'વિવાદિત નિવેદનને લઇ સમાજનો રોષ સ્વભાવિક છે', 'રૂપાલા વતી ક્ષત્રિય સમાજની હું પણ માફી માગુ છું'
- 2 એપ્રિલે ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં અસ્મિતાબા પરમાર અને ક્ષત્રિય કરણી સેના પ્રદેશ અને મહિલા અધ્યક્ષ ગીતાબા પરમારે ટિકિટ રદ ન થાય તો અગ્નિ સ્નાન કરવાની ચીમકી આપી
- 2 એપ્રિલે રાજકોટ પી.ટી.જાડેજાનુ નિવેદન ભાજપે કોર કમિટીની બેઠક, જેમાં 92 સંસ્થાના આગેવાનોને આમંત્રણ અપાયુ
- 2 એપ્રિલે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની પ્રથમ વખત ટિપ્પણી રાજપૂત સમાજની સંકલન સમિતિ નિર્ણય લેશે તે બધાને માન્ય રહેશે
- 3 એપ્રિલે પરશોતમ રૂપાલાને રાહત, આચારસંહિતા ભંગની ફરિયાદમાં મળી ક્લિનચીટ
- 3 એપ્રિલે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મીનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ નહી થાય તો અન્નનો ત્યાગ કરવાની ચીમકી આપી
- 3 એપ્રિલે જામનગરના નયનાબા જાડેજાએ પોસ્ટર્સ લગાવી રૂપાલાનો વિરોધ વ્યક્ત કર્યો
- 3 એપ્રિલે અંબરીષ ડેરે રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં સ્નેહ સંવાદનું આયોજન કર્યુ
- 3 એપ્રિલે રૂપાલાના વિરુદ્ધ બેઠક મુદ્દે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યાં, સંકલન સમિતિના 10 સભ્યોની ગુપ્ત સ્થળે બેઠક
- 4 એપ્રિલે રૂપાલાના સમર્થનમાં પાટીદારો ઉતર્યા, રાજકોટમાં બેઠકનુ આયોજન કર્યુ
- 4 એપ્રિલે રાજકોટ શહેરમાં રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનર, અંબિકા ટાઉનશીપમાં રૂપાલાના પ્રચારના લાગ્યા પોસ્ટર્સ
- 4 એપ્રિલે રાજકોટ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા, ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળ્યું
- 4 એપ્રિલે અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષ ડો.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યે રૂપાલાને હટાવવા માગ કરી નહી હટાવાય તો રાજકોટના ગામડાઓમા સાધુ સંતો સાથે ઉતરવાની ચીમકી આપી
- 4 એપ્રિલે રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અને પરશોતમ રૂપાલા વચ્ચે બેઠક યોજાઈ
- 4 એપ્રિલે ગોતામાં ક્ષત્રિય આગેવાનોની બેઠક, માલધારી સમાજે ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યુ
- 4 એપ્રિલે ગોંડલ તાલુકાના ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલાએ ગોંડલ કોર્ટેમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી
- 4 એપ્રિલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ રૂપાલાને પાટીદાર સમાજના સમર્થન બાબતે વિરોધ કર્યો
- 4 એપ્રિલે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ક્ષત્રિય અગ્રણીઓની બેઠકમાં રણનીતિ ઘડાઈ, ક્ષત્રિય સમાજ રાજ્યમાં પ્રચાર રથ કાઢી અન્ય સમાજનું સમર્થન મેળવાશે
- 4 એપ્રિલે રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં સ્પીડવેલ ચોક સહિતના વિસ્તારમાં બેનર લાગ્યા
- 5 એપ્રિલે રૂપાલાએ રાજકોટના આશાપુરા મંદિરમાં દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
- 5 એપ્રિલે રાજકોટમાં આત્મ નિર્ભર મહિલા મિલન કાર્યક્રમમાં રૂપાલાનું સંબોધન
- 5 એપ્રિલે રાજકોટ ભાજપે રૂપાલાના સમર્થનમાં લગાવ્યાં પોસ્ટર, 'રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે છે અડીખમ' સૂત્ર સાથેના લગાવાયા પોસ્ટર
- 5 એપ્રિલે રાજકોટમાં કિસાન ગૌશાળા ખાતેના સ્નેહ સંવાદમાં રૂપાલા થયા ભાવુક
- 5 એપ્રિલે સ્નેહ સંવાદ કાર્યક્રમમાં રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે હાજર રહેવા કરી અપીલ
- 5 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજે મહારેલી યોજી ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું ક્ષત્રિય મહિલાઓએ કેસરી સાડી અને પુરુષોએ કેસરીયા સાફા બાંધી રોષ વ્યક્ત કર્યો, રેલીને મંજૂરી મળી
- 5 એપ્રિલે ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ પહોંચે તે પહેલા ડિટેઇન કરાયા
- 6 એપ્રિલે રાજકોટની ગરાસીયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ, ધંધુકા ખાતે સંમેલનનુ આયોજન, રાજકોટ બેઠક પર 400થી વધુ ઉમેદવારી પત્રો ભરવાનો નિર્ણય, રાજકોટ સંમેલન બાબતે રણનીતિ ગુપ્ત રખાઈ
વાંચવા જેવું: ઉમેદવારો ધ્યાન આપે! પોલીસ ભરતીની તૈયારી આ રીતથી કરો, પાસ થશોએ પાક્કું
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો