બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

VTV / ભારત / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર

Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર

Last Updated: 09:17 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કોવિડ-19 વેક્સિનને કારણે લોહીના ગંઠાઈ જવાથી લઈને TTS સુધીની આડઅસરો જોવા મળી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે એવી સમસ્યા થઈ શકે છે.

કોરોના વાયરસને રોકવા માટે વપરાતી વેક્સીનની આડઅસરના અનેક દાવાઓ વચ્ચે કોવિશિલ્ડ વેક્સીન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો ખુલાસો કર્યો છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પહેલીવાર સ્વીકાર્યું છે કે કોવિડ-19ની વેક્સીન આડઅસર કરી શકે છે. જો કે, કંપનીએ દાવો કર્યો છે કે આવી આડઅસરોના કેસોની સંખ્યા ઘણી ઓછી છે.

કોવિડ -19 વેક્સિનથી થાય છે આડઅસરો

Oxford-AstraZenecaએ કોવિડ વેક્સીન વિશે મોટી વાત કહી છે. હકીકતમાં, કોવિડ રસીના નિર્માતા એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં આપેલા તેના કોર્ટ દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું કે તેની કોવિડ -19 રસી TTS જેવી દુર્લભ આડઅસરોનું કારણ બની શકે છે.

હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે

લોકો હંમેશા કોવિડ રસીની આડઅસરો વિશે વાત કરે છે પરંતુ અત્યાર સુધી તેની આડ અસરોને લઈને કોઈએ ગંભીરતા દાખવી નથી. એવામાં સોમવારે 29 એપ્રિલના રોજ એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે તે કોવિડ-19 રસીમાં લોહી ગંઠાઈ જવાથી લઈને TTS સુધીની આડઅસરો જોવા મળી શકે છે. એટલે કે હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે એવી સમસ્યા થઈ શકે છે. જો કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.

AstraZeneca રસી મોટાભાગના દેશોમાં Covishield નામથી વેચાતી

જાણીતું છે એક AstraZeneca રસી મોટાભાગના દેશોમાં Covishield નામથી વેચાતી હતી. એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 રસી આપવાનું શરૂ થયું ત્યારે પણ તેની આડ અસરો અંગે ઘણો વિવાદ થયો હતો. જોકે, કંપનીએ ત્યારે કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન રસીની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. એવું કહેવામાં આવ્યું હતું કે રસીકરણ પછી, થાક, ગળામાં દુખાવો અને હળવો તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. પરંતુ મૃત્યુ કે ગંભીર બીમારીનો કોઈ કેસ નોંધાયો ન હતો.

ભારતમાં લગભગ 80 ટકા રસીના ડોઝ માત્ર કોવિશિલ્ડના

ભારતમાં, આ વેક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવી હતી. SII એ વેક્સિન બજારમાં આવે તે પહેલા જ AstraZeneca સાથે કરાર કર્યો હતો. જાણીતું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે. ભારતમાં, લગભગ 80 ટકા રસીના ડોઝ માત્ર કોવિશિલ્ડના છે.

વધુ વાંચોઃ ક્યાંક ગરમાગરમ લૂ, તો ક્યાંક વરસાદને લઇ એલર્ટ જાહેર, જુઓ શું કહે છે IMDની અપડેટ આગાહી

પણ આ કેસ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?

બ્રિટનમાં જેમી સ્કોટ નામની વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા કંપની વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરતાં કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાની રસી લગાવ્યા બાદ તેમનું બ્રેન ડેમેજ થયું હતું અને તેમની જેમ અન્ય ઘણા પરિવારોએ પણ રસીની આડઅસર અંગે કોર્ટમાં ફરિયાદો કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ