બ્રેકિંગ ન્યુઝ
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ
'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ
અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે
VTV / ભારત / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Last Updated: 09:17 AM, 30 April 2024
કોરોના વાયરસને રોકવા માટે વપરાતી વેક્સીનની આડઅસરના અનેક દાવાઓ વચ્ચે કોવિશિલ્ડ વેક્સીન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો ખુલાસો કર્યો છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પહેલીવાર સ્વીકાર્યું છે કે કોવિડ-19ની વેક્સીન આડઅસર કરી શકે છે. જો કે, કંપનીએ દાવો કર્યો છે કે આવી આડઅસરોના કેસોની સંખ્યા ઘણી ઓછી છે.
ADVERTISEMENT
🚨 For the first time, AstraZeneca has admitted that its COVID-19 vaccine can cause a rare side effect that causes blood clots and low platelet counts. pic.twitter.com/HHWFDdKp3I
— Indian Tech & Infra (@IndianTechGuide) April 30, 2024
કોવિડ -19 વેક્સિનથી થાય છે આડઅસરો
ADVERTISEMENT
Oxford-AstraZenecaએ કોવિડ વેક્સીન વિશે મોટી વાત કહી છે. હકીકતમાં, કોવિડ રસીના નિર્માતા એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં આપેલા તેના કોર્ટ દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું કે તેની કોવિડ -19 રસી TTS જેવી દુર્લભ આડઅસરોનું કારણ બની શકે છે.
લોકો હંમેશા કોવિડ રસીની આડઅસરો વિશે વાત કરે છે પરંતુ અત્યાર સુધી તેની આડ અસરોને લઈને કોઈએ ગંભીરતા દાખવી નથી. એવામાં સોમવારે 29 એપ્રિલના રોજ એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે તે કોવિડ-19 રસીમાં લોહી ગંઠાઈ જવાથી લઈને TTS સુધીની આડઅસરો જોવા મળી શકે છે. એટલે કે હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે એવી સમસ્યા થઈ શકે છે. જો કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.
Clot in blood vessels occurs in rare cases with certain vaccines: Medical Expert amid reports over AstraZeneca
— ANI Digital (@ani_digital) April 29, 2024
Read @ANI Story | https://t.co/AlBB3JIcwq#AstraZenca #BloodClot #CovidVaccines pic.twitter.com/WlNKlfwxfQ
જાણીતું છે એક AstraZeneca રસી મોટાભાગના દેશોમાં Covishield નામથી વેચાતી હતી. એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 રસી આપવાનું શરૂ થયું ત્યારે પણ તેની આડ અસરો અંગે ઘણો વિવાદ થયો હતો. જોકે, કંપનીએ ત્યારે કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન રસીની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. એવું કહેવામાં આવ્યું હતું કે રસીકરણ પછી, થાક, ગળામાં દુખાવો અને હળવો તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. પરંતુ મૃત્યુ કે ગંભીર બીમારીનો કોઈ કેસ નોંધાયો ન હતો.
ભારતમાં, આ વેક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવી હતી. SII એ વેક્સિન બજારમાં આવે તે પહેલા જ AstraZeneca સાથે કરાર કર્યો હતો. જાણીતું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે. ભારતમાં, લગભગ 80 ટકા રસીના ડોઝ માત્ર કોવિશિલ્ડના છે.
બ્રિટનમાં જેમી સ્કોટ નામની વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા કંપની વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરતાં કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાની રસી લગાવ્યા બાદ તેમનું બ્રેન ડેમેજ થયું હતું અને તેમની જેમ અન્ય ઘણા પરિવારોએ પણ રસીની આડઅસર અંગે કોર્ટમાં ફરિયાદો કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT