બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ગુજરાત / બાપ રે.. ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયાકના 75 હજાર કેસ! આજે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત

OMG / બાપ રે.. ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયાકના 75 હજાર કેસ! આજે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત

Last Updated: 02:22 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ત્યારે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરના ઉહાપોહ વચ્ચે હૃદયરોગ સંબંધિત ઈમરજન્સી 23 ટકા વધી હોવાની વાત સામે આવી છે.

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકને કારણે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકના 2 કિસ્સા સામે આવ્યા છે અને નવસારીમાં હાર્ટએટેકનો એક કેસ સામે આવ્યો છે. રાજકોટમાં 17 વર્ષીય સગીર અને 40 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. હર્ષિલ ગોરી નામના 17 વર્ષીય સગીરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું અને હનુમાન મઢી ચોકમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ ફોરિયાતરનું મૃત્યુ થયું. જયારે નવસારીમાં 34 વર્ષીય નરેન્દ્ર કુમાર ઋષિનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. તે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો. તેને સારવાર અર્થે ખસેડવામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા.

heart-attack

હૃદયરોગ સંબંધિત ઈમરજન્સી 23 ટકા વધી

ઉલ્લેખનીય છે કે કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર થાય છે, એ વાત કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રાઝેનકાએ બ્રિટનની કોર્ટમાં કબૂલ કરી. એ પછી આ અંગે ઘણો વિવાદ ઉભો થયો. ત્યારે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરના ઉહાપોહ વચ્ચે હૃદયરોગ સંબંધિત ઈમરજન્સી 23 ટકા વધી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયાકનાં 75 હજાર કેસ આવ્યા, જયારે ગયા વર્ષે આ સંખ્યા 61 હજાર હતી.

રાજ્યમાં કરોડો લોકોને આપ્યા કોવિશિલ્ડના ડોઝ

કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રાઝેનકાએ કબૂલ્યું કે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર થાય છે, જેમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યાઓ થાય છે. લોહીના ગંઠાઈ જવાને કારણે હૃદય બંધ થઈ જાય છે, બ્રેઈન સ્ટ્રોક, કિડની ફેલ થવી જેવી સમસ્યાઓ થાય છે. ત્યારે આ વેક્સિનની આડઅસરનાં મામલે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

108-ambulance

જણાવી દઈએ કે રાજ્યમાં 10.50 કરોડથી વધુ લોકોને કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરની ચર્ચાઓ વચ્ચે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર થોડાંક જ લોકોને તેની આડઅસર થઈ છે, પરંતુ રાજ્યમાં હૃદયરોગ સંબંધિત ઈમરજન્સીમાં છેલ્લા એક વર્ષમાં 23 ટકા વધારો થયો છે.

108 ને મળ્યા આટલા બધા ઈમરજન્સી કૉલ

રાજ્યમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને વર્ષ 2022-23માં 61076 કૉલ મળ્યા હતા, પણ વર્ષ 2023-24માં 75390 કોલ્સ મળ્યા છે. આ કિસ્સાઓમાં દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગુજરાતમાં કાર્ડિયાક ઈમરજન્સીનાં કેસ સૌથી વધુ કેસ અમદાવાદમાં આવ્યા છે. જયારે બીજા સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા.

heart

અલગ છે હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટ

મહત્ત્વનું છે કે હૃદયરોગ સંબંધિત બીમારીઓનાં કેસ અચાનક વધી ગયા છે, યુવાનોના આકસ્મિક મૃત્યુના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે એક સ્વાસ્થ્ય નિષ્ણાતનું કહેવું છે કે કોરોનામાં પણ હૃદયરોગના કેસ આવ્યા હતા, લોહી ગંઠાઈ જવાનું સામે આવ્યું હતું. યુવાનોમાં હૃદયરોગના કિસ્સા વધવાનું કારણ બહારનું ખાવાનું, માનસિક તણાવ, ઝડપી લાઈફસ્ટાઈલનો સમાવેશ થાય છે. ત્યારે અહીં જણાવી દઈએ કે હાર્ટએટેક ત્યારે આવે છે જયારે કોરોનરી ધમનીઓમાંથી કોઈ એક બ્લોક થઈ જાય છે. હૃદયના સ્નાયુઓને બ્લડ નથી મળતું, અને જો તેમની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તેને પૂરતો ઓક્સીજન ન મળવાથી મૃત્યુ થાય છે. જયારે કાર્ડિયાક અરેસ્ટ એટલે જયારે વ્યક્તિનું હૃદય શરીરમાં લોહી પંપ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિ શ્વાસ લઈ શકતો નથી.

વધુ વાંચો: હાર્ટ અટેકથી બચવા આ પ્રાથમિક કાળજી રાખજો!

જયારે અન્ય નિષ્ણાતોનું કહેવું છે કે બહુ ઓછા લોકોમાં આડઅસર જોવા મળી રહી છે, એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. જેને હૃદયરોગની બીમારી હોય તેમને નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. લોહી ગંઠાઈ જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રીસર્ચ જરૂરી છે, જેથી લોકોના જીવ બચાવી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ