બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

VTV / ભારત / Politics / શું BJPને 400 પાર મળતા જ બદલાઇ જશે દેશનું સંવિધાન? અમિત શાહે કહ્યું, 'રાહુલ ગાંધીને તો...'

લોકસભા ચૂંટણી 2024 / શું BJPને 400 પાર મળતા જ બદલાઇ જશે દેશનું સંવિધાન? અમિત શાહે કહ્યું, 'રાહુલ ગાંધીને તો...'

Last Updated: 03:04 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : અમિત શાહે કહ્યુ, અમારી પાસે 10 વર્ષથી બહુમત છે અમે ક્યારેય આરક્ષણ સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો નથી, રાહુલ ગાંધીનો નિયમ છે જૂઠું બોલો, જોરથી બોલો અને વારંવાર બોલો

Amit Shah Statment : લોકસભા ચૂંટણીના પ્રચારમાં હવે ભાજપ-કોંગ્રેસ બંને ભારતના બંધારણ બદલવાને લઈ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન હવે અમિત શાહનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુંમાં અમિત શાહે કૉંગ્રેસના બંધારણ બદલવાના આરોપનો જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે, અમારી પાસે 10 વર્ષથી બહુમત છે. છેલ્લા 10 વર્ષથી આ દેશની જનતાએ નરેન્દ્ર મોદીને બંધારણ બદલવાની ક્ષમતા આપી છે. અમે 10 વર્ષમાં શું કર્યું? અમે ક્યારેય આરક્ષણ સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો નથી.

લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે વિપક્ષ દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે, જો ભાજપ 400થી વધુ સીટો જીતશે તો બંધારણમાં ફેરફાર કરશે. જોકે PM મોદી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ આ આરોપોને નકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે, અમે ક્યારેય અનામત સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો નથી. આ દરમિયાન PM મોદીએ તો લોકોને કોંગ્રેસ પાસેથી પાસે લેખિતમાં બંધારણમાં બદલાવ અંગે માગણી કરવા અપીલ કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે પણ અનામતને લઈ ફરી એકવાર નિવેદન આપ્યું છે. અમિત શાહે એક ખાનગી ચેનલને આપેલ વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, અમારી પાસે 10 વર્ષથી બહુમત છે. છેલ્લા 10 વર્ષથી આ દેશની જનતાએ નરેન્દ્ર મોદીને બંધારણ બદલવાની ક્ષમતા આપી છે. અમે ક્યારેય આરક્ષણ સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે આ બહુમતીનો ઉપયોગ કલમ 370 હટાવવા અને ટ્રિપલ તલાકને ખતમ કરવા માટે કર્યો હતો. UCC લાવવામાં કર્યું. તે બ્રિટિશ કાયદા બદલવામાં કર્યું. કાશ્મીરમાં શાંતિ લાવવા માટે કર્યું. અમારી પાસે 10 વર્ષથી અધિકાર છે.

વધુ વાંચો : હવે બંધારણને લઈ ભાજપ-કોંગ્રેસ આમને સામને, બંધારણમાં ફેરફાર થવાના આક્ષેપ પર યમલ વ્યાસનો જવાબ

રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

અમિત શાહે કોંગ્રેસના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં કહ્યુ કે, રાહુલ ગાંધીનો નિયમ છે "જૂઠું બોલો, જોરથી બોલો અને વારંવાર બોલો. તેઓ આ નિયમનું પાલન કરે છે. આ સાથે અમિત શાહે BJPની સિદ્ધિઓ પરના સવાલના જવાબમાં કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ હોય, નવી આર્થિક નીતિ હોય કે રામજન્મભૂમિ હોય, કલમ 370 નાબૂદ કરવી હોય, ટ્રિપલ તલાક હોય, UCC લાવવાની હોય કે પછી દેશનો વિકાસ હોય, આ 10 વર્ષ દરેક ક્ષેત્રમાં સુવર્ણ અક્ષરે લખાશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ