બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Travel / The Pilgrimage Palitana is famous for Derasar know about the specialty of the Shetrunjaya mountain

ટ્રાવેલ / તીર્થભૂમિ પાલિતાણા આ કારણે બની છે પાવન, જાણો શેત્રુંજ્ય પર્વતની વિશેષતા વિશે

Published By: Bhushita

Last Updated: 09:42 AM, 15 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૈનો માટે પાલિતાણાનાં દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત ૧૨૫૦ આરસનાં દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીર્થંકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનાવેલાં આ દેરાસર સંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇ પણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી. પૂજારીને પણ નહીં.

  • પાલિતાણામાં જાણીતા છે આ સ્થાપત્યો
  • શેત્રુંજ્ય ડુંગર પર જવા માટે આ વાતોનું પાલન જરૂરી 
  • ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે આ બાબતો

પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે. તેમણે આ ભૂમિને તીર્થભૂમિ બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. મોટેભાગના જૈનો ઝારખંડ (સમેતશિખર), માઉન્ટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલિતાણાને વધુ અગત્યનું માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલિતાણાની યાત્રા કરવી જ જોઇએ.

ફાઈલ ફોટો

શેત્રુંજય ડુંગર આ કારણે બન્યો છે જાણીતો

ગોહિલ રાજપૂતોના રજવાડાનું પાટનગર પાલિતાણા હતું. આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે. પાલિતાણા શહેરમાં પણ ઘણાં દેરાસરો અને હવે તો આધુનિક ઘણી ધર્મશાળાઓ અને ભોજનશાળાઓ છે. આ તીર્થસ્થળ શેત્રુંજય ડુંગર ઉપર છે, તેની બાજુમાંથી સુંદર શેત્રુંજી નદી વહે છે. આ આખો ડુંગર જ દેરાસર મનાય છે. એના ઉપર અસંખ્યાત જીવો મોક્ષ પામ્યા છે. તેની તળેટીમાં આવેલી પથ્થરશિલાની ભાવપૂર્વક પૂજા થાય છે. આખા ડુંગરને દેરાસર સમજીને તેના ઉપર ચામડાની ચંપલ, બૂટ વગરે લઈ જવાની મનાઈ છે અને ખાવા પીવાનો પણ નિષેધ છે. ઉપર જવા માટે ૩૯૫૦ પગથિયાં વાળો પગ રસ્તો છે. વાહન જઈ ના શકે. અશક્ત લોકો માટે બે માણસો ઉંચકીને લઈ જાય તેવી ડોળીની સગવડ હોય છે.

ફાઈલ ફોટો

પાલિતાણામાં જાણીતા છે આ સ્થાપત્યો

પાલિતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિદ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સુંદર સંગ્રહસ્થાનો આવેલાં છે. “શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન” અને “સ્થાપત્ય કલા ગૃહ”. જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાન પર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરનાં ચિત્રો, કાષ્ટ કોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે. 

આ કારણે આકર્ષે છે પ્રવાસીઓને

મીઠી કાઠિયાવાડી ભાષા બોલતા ત્યાંના લોકો ગુજરાતી ભાષાની વખણાયેલી ચારણ કોમની યાદ અપાવે છે. અહીં ઘણા ચારણ વસતા હતા. ગુલમોર, લીમડા, ચંપાનાં વૃક્ષો તળેટીને રમણિય અને ખુશનુમા બનાવે છે.આજુબાજુના વિસ્તારમાં ગુલાબ, મોગરા, જાસુદ, જૂઇ અને ડમરાની વાડીઓ છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગારપીરનું પવિત્ર સ્થાન પણ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Derasar Dharma Shetrunjaya mountain Travel palitana ધાર્મિક સ્થળ પાલિતાણા પ્રવાસ શેત્રુંજ્ય પર્વત Pilgrimage Palitana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ