બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / The patient was airlifted from Ahmedabad to Telangana, the patient was airlifted to Telangana under the guidance of the Health Minister

સેવાકાર્ય / એક અપીલ અને વ્હારે આવી ગુજરાત સરકાર! અમદાવાદથી તેલંગાણા એરલિફ્ટ કરાયો દર્દી, સંવેદનાથી ભરેલી છે કહાની

Dinesh

Last Updated: 06:53 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 21 વર્ષના યુવક દર્દી બ્લડ કેન્સરનો ભોગ બનતા જરૂરિયાતને જોતા આરોગ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદથી વતન તેલંગાણા ખાતે એરલિફ્કટ કરાયો

  • અમદાવાદથી તેલંગાણા એરલિફ્ટ કરાયું દર્દી
  • કેન્સરની સારવાર મેળવ્યા બાદ તેલંગાણા પરત થવા સક્ષમ ન હતું દર્દી
  • આરોગ્યમંત્રીના માર્ગદર્શનમાં દર્દીને એરલિફ્કટ કરી તેલંગાણા મોકલાયું


ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી(RSU)માં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના 21 વર્ષના યુવકને બ્લડ કેન્સર હતું. અભ્યાસ દરમિયાન એક દિવસ અચાનક બેભાન થઇને ઢળી પડ્યો. તાત્કાલિક તેને ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો. ત્યાં ખબર પડી કે દર્દીને બ્રેઇનહેમરેજ છે, ઇન્ફેકશન છે. તબીબોએ વિવિધ રીપોર્ટ્સ કરાવ્યાં.  જેમાં જાણવા મળ્યું કે, WBC કાઉન્ટ જે સામાન્ય પણએ 4 થી 11 હજાર હોય છે તે 4.5 લાખ એ પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં દર્દીનું બચવું મુશકેલ હતું. પરંતુ તબીબોએ અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરી કરીને દર્દીનો જીવ બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા.

સલાહ બની આશાનું કિરણ
જોકે, દર્દીના પરિવારજનોની તમામ નાણાકીય બચત સારવારમાં ખર્ચાઇ ગઇ હતી. પરિવાર દર્દીને અમદાવાદ થી પોતાના માદરે વતન તેલંગાણા લઇ જવા આર્થિક રીતે અક્ષમ હતું. હતાશ પરિવારને આઇ.સી.યુ. વોર્ડમાં જ  દાખલ અન્ય એક દર્દીના સગાએ સલાહ આપી કે, રાજ્યના આરોગ્યમંત્રીને તમારી સમસ્યાની રજુઆત કરો. આઇ.સી.યુ.માં પણ પડોશી ધર્મ નિભાવતા આ સગાએ દર્દીના ભાઇને એમ પણ કહ્યું કે, ગુજરાતના આરોગ્ય મંત્રી દર સોમવાર અને મંગળવાર સામાન્ય જનતાને મળે છે રજુઆત સાંભળે છે.  આ જ આશાનું કિરણ લઇને તેલંગાણાનું પરિવાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયે પહોંચ્યું અને સ્થિતિની રજૂઆત પણ કરી. મંત્રીએ પણ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. અને દર્દીને મદદ કરવા માટે જરૂરી સુચનાઓ આપી. અન્ય ડિપાર્ટમેન્ટસના સહયોગ, કેન્દ્રીય મંત્રાલયના સહયોગથી આ દર્દીને એરલાઇન્સ મારફતે એરલિફ્ટ કરી તેલંગાણા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી.

તબીબોની ટીમ સાથે દર્દીને એરલિફ્ટ કરાયું
દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા મોકલવાનું કામ આસાન તો ન જ હતું. દર્દીની શારિરીક સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ, નર્સિંગ સ્ટાફ, કેયર ટેકર, અન્ય જરૂરી સપોર્ટીવ મેડિશીન સાથેની વ્યવસ્થા કરવી જરૂરી હતી. મંત્રીની સૂચના પ્રમાણે આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી.  તા. 3 જાન્યુઆરીની રાત્રે 12-15 કલાકે આ દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા પહોંચાડવામાં આવ્યો . વહેલી સવારે 4-00 કલાકે તેલંગાણાની હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યાં સુધી ગુજરાતની સમગ્ર ટીમ અને ગુજરાતથી મોકલેલ તબીબો પણ દર્દી અન પરિવારજનોની સાથે જ રહ્યા. ત્યાંના તબીબોને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ પણ કરાવ્યા. હાલ આ દર્દી તબીબોની દેખરેખ હેઠળ છે.


    દર્દી જ્યારે તેલગાંણા પહોંચી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. સ્થિતિ સંપૂર્ણપણે સ્થિત થઇ ત્યારે ફરી એક વખત મંત્રીએ આ દર્દીના સગા વ્હાલાઓને વીડિયો કોલ દ્વારા વાર્તાલાપ કર્યો. દર્દી અને સમગ્ર પરિવારજનોની સ્વાસ્થ્ય પૃચ્છા કરી. આ વાર્તાલાપ વેળાએ દર્દીના પરિવારજનો ભાવુક બની ગયા હતા અને તેઓએ ગુજરાત સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.  આમ આ કિસ્સા થકી રાજ્ય સરકાર અને આરોગ્યમંત્રીએ દર્શાવ્યું કે આરોગ્ય-સેવા માટે ભૌતિક માળખાકિય સુવિધાઓ જેટલી જ અનિવાર્ય છે માનવીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા.

વાંચવા જેવુંગુજરાતનાં શિક્ષણ મંત્રીએ ફરી જૂની પેન્શન યોજનાનો કર્યો વાયદો: કહ્યું રામ મંદિરની જેમ જ ભાજપની સરકાર...

આ કેસની ટેકનીકલ સાઇડની ગંભીરતા

  • બેભાન અવસ્થામાં દર્દી હોસ્પિટલમાં ઇમરજન્સીમા લાવવામાં આવ્યો.
  • પ્રારંભિક મૂલ્યાંકનમાં હાયપરલ્યુકોસાયટોસિસ (WBC કાઉન્ટ: 450,000/cmm, સામાન્ય 4000 થી 11000), 
  • મગજની ડાબી બાજુએ જગ્યા જખમ અને રક્તસ્રાવ 
  • મગજ અને ફેફસાંને અસર કરતા લ્યુકોસ્ટેસિસ (રક્ત પ્રવાહ ગૌણ અને WBC ગણતરીમાં ઘટાડો) દ્વારા જટિલ બ્લડ કેન્સર (ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા) હોવાનું નિદાન થયું.
  • ઇમરજન્સી સારવારમાં લ્યુકાફેરેસીસ (મશીન વડે ડબલ્યુબીસી દૂર કરવું), કેન્સર વિરોધી ઉપચાર, રક્ત તબદિલી, સહાયક સંભાળ અને વેન્ટિલેટરી સપોર્ટની જરૂર પડી.
  • જખમવાળા ભાગ  અને રક્તસ્રાવને કારણે મગજ પર દબાણની અસરને દૂર કરવા ક્રેનિયોટોમી સર્જરી કરવામાં આવી. 
  • કોગ્યુલેશન અસાધારણતા (રક્તસ્ત્રાવની સમસ્યાઓ), ચેપ (વારંવાર નીચલા શ્વસન માર્ગના ચેપ, બેક્ટેરિયલ, ફંગલ ચેપ) અને ન્યુમોથોરેક્સ સાથેના પડકારોનો સામનો કરવો પડ્યો.
  • આ બધી સમસ્યાઓના પગલે આ દર્દીને ગંભીર સંભાળ અને ટ્રેચેઓસ્ટોમી પ્રક્રિયા સાથે લાંબા સમય સુધી ICUમાં રહેવા ફરજ પડી હતી. 
  • આ તમામ સમસ્યાઓની વચ્ચે સંપૂર્ણપણે કાળજી સાથે, તબીબોના પરામર્શ, સંકલન અને એરલિફ્ટ સમયે પણ નિષ્ણાંત તબીબોના સતત મોનીટરીંગ સાથે દર્દીને તેલંગાણા મોકલાયો.
  • હાલ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. 
  • સારવારમાં સિંહફાળો રહ્યો લેફ્ટનન્ટ જનરલ (ડૉ.) વેલુ નાયર (વરિષ્ઠ સલાહકાર,
  • હેમેટોલોજી વિભાગના વડા ડૉ. વિજયકુમાર શિરુરે (હેમેટોલોજિસ્ટ), 
  • ડૉ. સોમેશ દેસાઈ (ન્યુરોસર્જન), ડૉ. સંજય શાહ , (ઇમરજન્સી વિભાગ), ડૉ. મહર્ષિ દેસાઈ (ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ), ડૉ. રાજેશ વિશ્વકર્મા (ENT નિષ્ણાત), ડૉ. સંજય ગુપ્તા (ટ્રાન્સફ્યુઝન મેડિસિન)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ