બ્રેકિંગ ન્યુઝ
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા
પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ
ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદર બેઠક પર મોઢવાડિયાના પક્ષપલટાથી ભાજપને થશે ફાયદો? જ્ઞાતિ સમીકરણમાં કપરી સ્થિતિ
Last Updated: 10:17 PM, 29 April 2024
ચૂંટણીના માહોલમાં હાલ પોરબંદરમાં કોઈપણની સાથે વાત કરો. એટલે પહેલી વાત એ જ સામે આવે થે કે, કોંગ્રેસના અર્જૂને માંડવિયા મોટી જીત નક્કી કરી દીધી છે. હવે અહીં જીત નહીં કેટલા માર્જિનથી જીતશે. તેની ચર્ચા થાય છે. ત્યારે કેવી રીતે કોંગ્રેસના અર્જુન પટેલની નાવડી પાર પાડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતનું પોરબંદર, જ્યારે પણ આ નામનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે બાપુ એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છબી સામે આવે છે. હવે અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પોરબંદરની જનતાનું માનીએ તો હવે બાપુના જન્મસ્થ પોરબંદરમાં હરીફાઈ જીત કે હારની નથી, પરંતુ 'માર્જિન'ની છે. બે ઉમેદવારો છે, તેથી તેઓ વિજયના સંદર્ભમાં 'માર્જિન' શબ્દ જોઈ રહ્યા હશે. પોરબંદરના લોકો તો એવું કહેતા અચકાતા નથી કે કોંગ્રેસના 'અર્જુન'એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'લેવા પટેલ' એટલે કે મનસુખ માંડવિયા માટે રસ્તો સરળ બનાવી દીધો છે.
પોરબંદરના લોકોનો જનમત લીધો ત્યારે જાણવા મળ્યું કે, અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના પ્રભાવશાળી નેતા હતા. અને પોરબંદરના લોકો પર તેમની પક્કડ પણ ખુબ છે. તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે. લોકોનું એવું માનવું છે કે, જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં ન ગયા હોત તો માંડવિયા માટે જીત મુશ્કેલ હતી. માંડવિયાનું નામ જાહેર થતાં જ સ્થાનિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી હતી. કેટલાક ભાજપના નેતાઓએ તો માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવી દીધા હતા. જે બાગ ભાજપે માંડ-માંડ મામલો થાળે પાડ્યો. બીજી તરફ, કોંગ્રેસના અર્જુને પાર્ટી બદલીને બે કામ સરળ બનાવ્યા.
વાંચવા જેવું: સરદારને પાટીદાર સુધી જ સિમિત કેમ રાખવામાં આવે છે? ધાનાણીની ટિપ્પણી બાદ વાર-પલટવાર!
લોકોનું કહેવું છે કે એક તરફ તેમણે માંડવિયાની જીતને આસાન બનાવી દીધી, તો બીજી તરફ તેમણે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા માટે મુશ્કેલી ઊભી કરી. પોરબંદરમાં તમે જેની પણ વાત કરો છો, તેમાં સૌથી પહેલી વાત એ રહે છે કે કોંગ્રેસના અર્જુન માંડવિયાને મોટી જીત તરફ લઈ ગયા છે. એક તરફ અર્જુન મોઢવાડિયાના કારણે ભાજપનું પલડું ભારે છે.. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યાલયો પણ ગોત્યા જડતા નથી.. તેવામાં બીચારા લલિત વસોયાના તો કેવા હાલ થશે તે ચૂંટણી પરિણામ આવ્યા પછી ખબર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT