કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શિવસેનાની નેતૃત્વ વાળી મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં વધુ એક વાર લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. જો કે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં મિશન બિગીન અગેન ની મૂવમેન્ટ હેઠળ તબક્કાવાર કામગીરી શરૂ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમા લોકડાઉન લંબાયું
30 નવેમ્બર સુધી અમલમાં રહેશે લોકડાઉન
શિવસેના સરકારે કર્યો નિર્ણય
મહારાષ્ટ્ર સરકારે વધતાં જતાં કોરોના કેસોને ધ્યાનમાં લઈને ગુરુવારે 30 નવેમ્બર સુધી રાજ્યમાં લોકડાઉન વધાર્યું છે. જો કે, રાજ્ય સરકારે એમ પણ કહ્યું હતું કે 'મિશન બીગન અગેન' અંતર્ગત મહારાષ્ટ્રમાં તબક્કાવાર કામગીરી શરૂ કરીને 30 નવેમ્બર સુધી પણ ચાલુ રહેશે. રાજ્ય સરકારના તમામ વિભાગો આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરશે.
Maharashtra Government extends lockdown till 30th November with activities permitted under Mission 'Begin Again'
જે કામોને મંજૂરી મળી તે ચાલુ જ રહેશે : મહારાષ્ટ્ર સરકાર
રાજ્ય સરકારે કહ્યું છે કે જે કામોને અગાઉ મંજૂરી આપવામાં આવી છે તે ચાલુ રહેશે અને આ સંદર્ભે અગાઉ જારી કરાયેલા ઓર્ડર પણ નવેમ્બરના અંત સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનના નિયમોનું પાલન કડકાઈ પૂવક કરાવવામાં આવશે.
સ્થાનિક મુસાફરી કરવાની પરવાનગી શક્ય છે
મહારાષ્ટ્ર સરકારે રેલવે અધિકારીઓને એક દિવસ પહેલા જ પ્રસ્તાવ મૂક્યો હતો કે સામાન્ય લોકોને મુંબઈની લોકલ ટ્રેનમાં નોન-પીક અવર્સમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો પ્રસ્તાવ રેલ્વે બોર્ડને મોકલવામાં આવશે.