ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / team management decided not to send ravi bishnoi and shreyas iyer to australia

ક્રિકેટ / T20 વર્લ્ડ કપ પહેલા BCCIનો ચોંકાવનારો નિર્ણય, ટીમ ઈન્ડિયામાં સામેલ નહીં થાય આ બે સ્ટાર પ્લેયર્સ

Published By: Jaydeep Shah

Last Updated: 09:42 AM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી20 વર્લ્ડ કપ માટે ટીમ મેનેજમેન્ટે ભારતનાં સ્ટાર ખેલાડીઓ રવિ બિશ્નોઇ અને શ્રેયસ અય્યરને હાલમાં ઓસ્ટ્રેલીયા ન મોકલવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

  • રવિ બિશ્નોઇ અને શ્રેયસ અય્યરને ટી20 વર્લ્ડ કપ માટે નહીં મોકલવામાં આવે ઓસ્ટ્રેલીયા 
  • જો કોઈ ખેલાડીની જરૂર પડે છે તો જ તેમને ઓસ્ટ્રેલીયા મોકલવામાં આવશે 
  • શ્રેયસ અય્યર સાઉથ આફ્રિકા સામે વન ડેમા સૌથી સફળ બેટ્સમેન રહ્યા છે 

 

ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા ભારતીય મેનેજમેન્ટે એક ચોંકાવનાર નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયામા સામેલ 2 ખેલાડીઓને ભારતીય મેનેજમેન્ટે મોટો ઝટકો આપ્યો છે. મેનેજમેન્ટે આ ખેલાડીઓને ટી20 વર્લ્ડ કપ 2022 માટે ઓસ્ટ્રેલીયા ન મોકલવાનો નિર્ણય લીધો છે. સાઉથ આફ્રિકા સામે રમવામાં આવેલી વન ડે સીરિઝમાં આ ખેલાડીઓ સ્ક્વાડનો ભાગ હતા 

આ બે ખેલાડીઓને મોટો ઝટકો 
ભારતીય મેનેજમેન્ટે ટી20 વર્લ્ડ કપ 2022 માટે સ્ટેન્ડ બાય ખેલાડીઓમાં સામેલ યુવા સ્પિનર રવિ બિશ્નોઇ અને વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા ન મોકલવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમને જો કોઈ ખેલાડીની જગ્યાએ તેમની જરૂરિયાત હશે, તો જ તેઓ ટીમ સાથે જોડાઈ શકશે. હાલમાં ખેલાડીઓને ભારતમા જ રોકવામાં આવ્યા છે. 

આફ્રિકા સીરઝમાં પણ બેન્ચ પર જ જોવા મળ્યા હતા 
રવિ બિશ્નોઇ ગયા થોડા સમયથી ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ હતા, પણ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની વન ડે સીરિઝમા તેઓ માત્ર એક જ મેચમા રમ્યા હતા અને હવે તેમને ઓસ્ટ્રેલીયા પણ મોકલવામાં આવશે નહીં. રવિ બિશ્નોઇ એશિયા કપ 2022મા ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યા હતા. આ ટૂર્નામેન્ટમાં પણ તેમણે શાનદાર બોલિંગ કરી હતી, પણ ટી20 વર્લ્ડ કપ 2022 માટે તેમને ટીમમા જગ્યા મળી નથી. રવિ બિશ્નોઇ ઈન્ડિયા માટે અત્યાર સુધી 10 ટી20 મેચમા 16 વિકેટ મેળવી ચૂક્યા છે. 

વન ડે સીરિઝમાં સૌથી સફળ બેટ્સમેન 
શ્રેયસ અય્યર આફ્રિકા સીરિઝમાં સૌથી સફળ બેટ્સમેન રહ્યા હતા. શ્રેયસ અય્યરે 3 મેચમાં 191 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે બીજી મેચમા અણનમ 113 રન બનાવ્યા હતા, પણ તેમને પણ હાલમાં ભારત જ રોકવામાં આવ્યા છે. જો ઈન્ડિયાને કોઈ બેટ્સમેનની જરૂર પડે છે, તો જ શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલીયા બોલાવવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ 2022 રવિ બિશ્નોઇ શ્રેયસ અય્યર Cricket

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ