બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Ajit Jadeja
Last Updated: 12:42 PM, 21 March 2024
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બે ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે આટલી ઉતાવળ કેમ કરવામાં આવી? આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિમણૂક પ્રક્રિયાને અપનાવવા માટે થોડો વધુ સમય આપવો જોઇતો હતો. આમ કરવામાં આવ્યુ હોત તો નિમણૂકની પ્રક્રિયા સારી રીતે થઇ શકી હોત. આ સાથે કોર્ટે ચૂંટણી કમિશનરની નિમણૂક પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે અને તેને લગતી અરજી પણ ફગાવી દીધી છે.
આ અગાઉ ચૂંટણી પંચમાં ગયા અઠવાડિયે યોજાયેલી ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સામેલ ન કરવાના વિરોધમાં અરજી પર કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. સરકારે કહ્યું હતું કે પસંદગી સમિતિમાં ન્યાયિક સભ્યનો પણ સમાવેશ થાય ત્યારે જ ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે કામ કરશે તેવી દલીલ ખોટી છે. બંધારણીય હોદ્દા ધરાવતા લોકો નિષ્પક્ષતાથી જ કામ કરે છે.
ચૂંટણી કમિશનરોની યોગ્યતા પર કોઈ સવાલ ઉઠાવવામાં આવ્યા નથી. અરજદારનો ઉદ્દેશ્ય રાજકીય વિવાદ ઊભો કરવાનો છે. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે ઉચ્ચ બંધારણીય અધિકારીઓ પાસેથી નિષ્પક્ષતાથી કામ કરવાની અપેક્ષા રાખવી જોઈએ. કેન્દ્રએ અરજીકર્તાઓ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. કેન્દ્રએ ચૂંટણી કમિશનર એક્ટ પર પ્રતિબંધની માંગ કરતી અરજીઓનો વિરોધ કર્યો હતો. ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જો કે આજે સુનાવણીમાં કોર્ટ દ્વારા અરજીને ફગાવી દેવામાં આવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime