બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Sprinkle camphor water at this place in the house, prosperity and success will come to you.
Last Updated: 03:19 PM, 12 April 2024
ઘરમાં નકારાત્મકતાને પ્રવેશતા અટકાવી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેના ઉપાય વિશે જણાવવામાં આવ્યુ છે. ઘરના મુખ્ય દરવાજા પરથી જ સકારાત્મક અને નકારાત્મક બંન્ને પ્રકારની ઉર્જા પ્રવેશતી હોય છે. જો પાણીમાં કપૂર ભેળવીને ઘરના મુખ્ય દરવાજા પર છંટકાવ કરવામાં આવે તો ઘરને નકારાત્મક શક્તિઓના પ્રભાવથી બચાવી શકાય છે. જ્યોતિષ મુજબ પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા કપૂરના પાણીને મુખ્ય દરવાજા પર છંટકાવથી કયા લાભો થાય છે તે અહીંયા જાણીશુ.
ADVERTISEMENT
બાધાઓ થાય છે દૂર
જ્યોતિષ અનુસાર જો કપૂરને પાણીમાં એડ કરી તે પાણીનો દરવાજા પર છંટકાવ કરવાથી ઘર-પરિવારની બાધાઓ દુૂર થાય છે. ગ્રહોના દુષ્પ્રભાવમાંથી છુટકારો મેળવવા કપૂરનું પાણી છાંટવું જોઈયે. જો તમે નિયમિત રીતે કપૂરના પાણીનો છંટકાવ કરો છો તમારી બાધાઓ દૂર થઈને તમને સફળતા હાંસીલ થાય છે.
શુદ્ધિકરણ
બહારના અને ઘરના શકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બીંદુ મકાનનો મુખ્ય પ્રવેશ દ્વાર હોય છે. માટે આ કેન્દ્ર બીંદુ એટલે કે મુખ્ય દરવાજા પર કપૂરના પાણીના છંટકાવથી નકારાત્મક ઉર્જા શુદ્ધ થઈને અંદર આવે છે. જેથી તેની અશુભ અસર દૂર થાય છે.
ADVERTISEMENT
માનસિક શાંતિ
દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી ઘરમાં શાંતીની વૃદ્ધિ થાય છે. કપૂરની સુગંધ મનને શુદ્ધ કરે છે. કપૂરમાં શારીરિક તથા આધ્યાત્મિક રીતે શાંતિ આપવાના ગુણ હોય છે. જેથી તે માનસિક શાંતિ આપવાનું કામ પણ કરે છે.
વધુ વાંચોઃ બુધ થશે અસ્ત: 27 દિવસ સુધી આ રાશિના જાતકો ફૂંકી ફૂંકીને ભરે પગલાં, નોકરી પર મંડારાયો ખતરો
ADVERTISEMENT
સમૃદ્ધિ વધે છે, દૈવીય આર્શીવાદ મળે છે
મુખ્ય દ્વાર પર કપૂરનું પાણી છાંટવાથી ગ્રહોના અને દૈવીય આર્શીવાદ મળે છે. જેથી ઘર-પરિવારમાં સમૃદ્ધિ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.