બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
VTV / ધર્મ / Sprinkle camphor water at this place in the house, prosperity and success will come to you.
Vishal Khamar
Last Updated: 03:19 PM, 12 April 2024
ઘરમાં નકારાત્મકતાને પ્રવેશતા અટકાવી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેના ઉપાય વિશે જણાવવામાં આવ્યુ છે. ઘરના મુખ્ય દરવાજા પરથી જ સકારાત્મક અને નકારાત્મક બંન્ને પ્રકારની ઉર્જા પ્રવેશતી હોય છે. જો પાણીમાં કપૂર ભેળવીને ઘરના મુખ્ય દરવાજા પર છંટકાવ કરવામાં આવે તો ઘરને નકારાત્મક શક્તિઓના પ્રભાવથી બચાવી શકાય છે. જ્યોતિષ મુજબ પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા કપૂરના પાણીને મુખ્ય દરવાજા પર છંટકાવથી કયા લાભો થાય છે તે અહીંયા જાણીશુ.
બાધાઓ થાય છે દૂર
જ્યોતિષ અનુસાર જો કપૂરને પાણીમાં એડ કરી તે પાણીનો દરવાજા પર છંટકાવ કરવાથી ઘર-પરિવારની બાધાઓ દુૂર થાય છે. ગ્રહોના દુષ્પ્રભાવમાંથી છુટકારો મેળવવા કપૂરનું પાણી છાંટવું જોઈયે. જો તમે નિયમિત રીતે કપૂરના પાણીનો છંટકાવ કરો છો તમારી બાધાઓ દૂર થઈને તમને સફળતા હાંસીલ થાય છે.
શુદ્ધિકરણ
બહારના અને ઘરના શકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બીંદુ મકાનનો મુખ્ય પ્રવેશ દ્વાર હોય છે. માટે આ કેન્દ્ર બીંદુ એટલે કે મુખ્ય દરવાજા પર કપૂરના પાણીના છંટકાવથી નકારાત્મક ઉર્જા શુદ્ધ થઈને અંદર આવે છે. જેથી તેની અશુભ અસર દૂર થાય છે.
માનસિક શાંતિ
દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી ઘરમાં શાંતીની વૃદ્ધિ થાય છે. કપૂરની સુગંધ મનને શુદ્ધ કરે છે. કપૂરમાં શારીરિક તથા આધ્યાત્મિક રીતે શાંતિ આપવાના ગુણ હોય છે. જેથી તે માનસિક શાંતિ આપવાનું કામ પણ કરે છે.
વધુ વાંચોઃ બુધ થશે અસ્ત: 27 દિવસ સુધી આ રાશિના જાતકો ફૂંકી ફૂંકીને ભરે પગલાં, નોકરી પર મંડારાયો ખતરો
સમૃદ્ધિ વધે છે, દૈવીય આર્શીવાદ મળે છે
મુખ્ય દ્વાર પર કપૂરનું પાણી છાંટવાથી ગ્રહોના અને દૈવીય આર્શીવાદ મળે છે. જેથી ઘર-પરિવારમાં સમૃદ્ધિ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime