બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શ્રેયસ ઐય્યરની 'કેપ્ટનશીપ' જ તેના માટે સમસ્યા બની, પૂર્વ ક્રિકેટરના નિવેદનથી ક્રિકેટમાં ખળભળાટ
Last Updated: 03:17 PM, 31 August 2025
Shreyas Iyer: એશિયા કપ 2025 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે શ્રેયસ અય્યર ટીમમાં નહીં હોવાના લીધે અનેક પ્રશ્નો ઊભા થયા છે. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2024નો ખિતાબ જીત્યો હતો. તે જ સમયે તેમણે IPL 2025 માં પંજાબ કિંગ્સને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. જ્યાં તેઓ RCB સામે હારી ગયા હતા. આ ઉપરાંત શ્રેયસ ઐયરને ઘરેલુ ક્રિકેટમાં કેપ્ટનશીપનો પણ અનુભવ છે. ટીમની વાત તો છોડી દો તેનું નામ રિઝર્વ ખેલાડીઓની યાદીમાં પણ નથી. ક્રિકેટ એક્સપર્ટ આ અંગે પોતાના મંતવ્યો આપી રહ્યા છે. આ એપિસોડમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે એક એવું નિવેદન આપ્યું છે જેણે ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. પાનેસરે કહ્યું છે કે શ્રેયસ ઐયરની નેતૃત્વ કુશળતા તેની ટીમ પસંદગીમાં અવરોધ બની રહી છે.
ADVERTISEMENT

મોન્ટી પાનેસરે એક મીડિયાને જણાવ્યું હતું કે
ADVERTISEMENT
"શ્રેયસ ઐયરને ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે તેની પાસે નેતૃત્વ કૌશલ્ય છે અને હાલમાં ટીમે કદાચ તેના પર કામ કર્યું છે. આનાથી તેમને (પસંદગીકારો) એક એવા યુવાન ખેલાડીને લાવવાની તક મળે છે જે રમવા માટે થોડો વધુ ઉત્તેજક હોય, જેને કોચ ગૌતમ ગંભીર સરળતાથી સંભાળી શકે. તેથી મને લાગે છે કે IPLમાં કેપ્ટન તરીકે ટીમમાં સ્થાન મેળવવું તેના માટે થોડું મુશ્કેલ છે."
વધુ વાંચો: રાહુલ દ્રવિડે અચાનક રાજસ્થાન રોયલ્સ કેમ છોડી દીધું? સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT

તેમણે આગળ કહ્યું "પણ મારું માનવું છે કે જો તે રન બનાવતો રહે છે તો તેણે રમવું જોઈએ. પરંતુ તે ફક્ત પ્રતિભાની વાત છે. પ્રતિભા અદ્ભુત છે. મને લાગે છે કે ભારત પહેલા ક્યારેય એટલું ભાગ્યશાળી નહોતું કે તે 2 થી 3 ટીમો બનાવી શકે અને હાલમાં વિશ્વની સામે સ્પર્ધા કરી શકે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.