ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શું ભારત-આફ્રિકા વનડે સિરીઝમાં શ્રેયસ ઐય્યરની થશે રિએન્ટ્રી? જાણો BCCIનો પ્લાન

સ્પોર્ટ્સ / શું ભારત-આફ્રિકા વનડે સિરીઝમાં શ્રેયસ ઐય્યરની થશે રિએન્ટ્રી? જાણો BCCIનો પ્લાન

Published By: Vidhata Gothi

Last Updated: 02:16 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs SA ODI Series Shreyas Iyer: શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે થયેલી ઇજા બાદ હવે BCCIએ તે સંપૂર્ણપણે ફિટ ન થાય ત્યાં સુધી તેને રમવાની મંજૂરી ન આપવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

Shreyas Iyer Health Update: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી આગામી ODI સીરીઝમાં રમે તેવી શક્યતા ઓછી છે. ઓસ્ટ્રેલિયામાં ત્રીજી ODI દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઐયરને પેટમાં ગંભીર ઇજા થઈ હતી. તેમને તેમના સ્પ્લીનમાં ઇન્જરી થઈ અને ઇન્ટર્નલ બ્લીડિંગ થયું. આ પછી ઐયરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઘણા દિવસો ICUમાં રાખ્યા પછી ઐય્યરને રજા આપવામાં આવી.

શું ઐય્યર IND vs SA ODIમાંથી બહાર?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રેયસ ઐયર 30 નવેમ્બરથી શરૂ થનારી સાઉથ આફ્રિકા ODI સીરીઝમાં રમવાની શક્યતા ઓછી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, BCCI અને પસંદગી સમિતિ બંને તેમની વાપસીમાં ઉતાવળ નથી કરવા માંગતા. ઐયરને ભારતની ODI ટીમનો મહત્ત્વનો ભાગ માનવામાં આવે છે અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક હતો.

BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, 'તેમને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં સમય લાગશે, અને બોર્ડ તેની વાપસી સાથે કોઈ જોખમ લેવા માંગતું નથી. તે દક્ષિણ આફ્રિકા ODI સીરીઝમાંથી બહાર રહી શકે છે.'

vtv app promotion

ઐયરને કેવી રીતે થઈ ઇજા

25 ઓક્ટોબરના રોજ સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે દરમિયાન ઐય્યર ઇજાગ્રસ્ત થયો હતો. જયારે ઐયરે હાર્દિક રાણાના બોલ પર એલેક્સ કેરીનો ઓવરહેડ કેચ પકડવા માટે ફુલ લેન્થ કૂદકો માર્યો, ત્યારે બોલ પકડતી વખતે, તે ડાબી બાજુ જોરથી પડી ગયો અને તરત જ તેને પાંસળીઓ પકડી લીધી. શરૂઆતમાં, આ એક સામાન્ય ઇજા લાગી રહી હતી, પરંતુ સ્કેનમાં સામે આવ્યું છે કે તેને સ્પ્લીનમાં આંતરિક ઇજા થઈ છે અને તબીબી સહાયની જરૂર પડી.

આ પણ વાંચો: ઋષભ પંત તોડશે વીરેન્દ્ર સેહવાગનો એક મોટો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં કરવું પડશે માત્ર આ કામ

ટીમ ફિઝિયો કમલેશ જૈન અને તબીબી સ્ટાફ તેને મેદાનની બહાર લઈ ગયા અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પ્રારંભિક તપાસમાં પાંસળીમાં ઇજાની શંકા હતી, પરંતુ વિગતવાર સ્કેન બાદ ઇજાની ગંભીરતા સામે આવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer IND vs SA ODI Series

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ