ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / કોહલી-રોહિતે કરિયર બચાવવું હોય તો કરવું પડશે આ કામ, BCCIએ કરી દીધી લાલ આંખ
Last Updated: 11:16 AM, 12 November 2025
ADVERTISEMENT
BCCI: વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે માત્ર ODI ફોર્મેટમાં સક્રિય રહેશે. BCCI એ સ્પષ્ટ કર્યું છે કે ટીમમાં સ્થાન જાળવવા માટે તેમને સ્થાનિક ક્રિકેટ રમવું ફરજિયાત રહેશે.
ADVERTISEMENT
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે માત્ર ODI ફોર્મેટમાં જ સક્રિય રહેશે. બંને ખેલાડીઓએ તાજેતરમાં T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. લાંબા વિરામ પછી તેઓ ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝથી ફરી મેદાને ઉતર્યા હતા. રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા, જ્યારે વિરાટ કોહલી શરૂઆતમાં ખાસ પ્રભાવ બતાવી ના શક્યો પરંતુ અંતિમ મેચમાં મહત્વપૂર્ણ રન નોંધાવ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
BCCIએ સ્પષ્ટ કર્યું છે કે જો રોહિત અને કોહલી ભવિષ્યમાં ભારત માટે ODI રમવા ઈચ્છે છે. તો તેમને સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લેવું ફરજિયાત રહેશે. અત્યાર સુધી સિનિયર ખેલાડીઓને રણજી અથવા વિજય હજારે જેવી ટુર્નામેન્ટમાંથી મુક્તિ આપવામાં આવતી હતી. પરંતુ હવે બોર્ડે આ નીતિમાં ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પગલું ખેલાડીઓની મેચ-ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટ જાળવવા માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: BCCI નો મોટો નિર્ણય, એક જ સીરીઝમાં રમશે બે ભારતીય ટીમ, જાણો ટીમમાં કોને મળ્યું સ્થાન
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતીય ટીમ ડિસેમ્બર (3 થી 9) દરમિયાન દક્ષિણ આફ્રિકા સામે ODI સીરિઝ ને જાન્યુઆરી 11 થી ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે સીરિઝ રમશે. આ પહેલાં વિજય હજારે ટ્રોફી એકમાત્ર સ્થાનિક ટુર્નામેન્ટ છે જેમાં બંને ખેલાડીઓ રમવાની તક મેળવી શકે છે. રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પોતાની ઉપલબ્ધતા અંગે જાણ કરી છે, પરંતુ વિરાટ કોહલીની હાજરી અંગે હજી સ્પષ્ટતા નથી. બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, બંનેને ટીમમાં સ્થાન જાળવવા માટે સ્થાનિક ક્રિકેટમાં ઉતરવું જ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.