ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શ્રેયસ ઐય્યરની હોસ્પિટલના ખાટલેથી પહેલી તસવીર આવી સામે, BCCIએ 'ગંભીર' અપડેટ આપ્યું

સ્પોર્ટ્સ / શ્રેયસ ઐય્યરની હોસ્પિટલના ખાટલેથી પહેલી તસવીર આવી સામે, BCCIએ 'ગંભીર' અપડેટ આપ્યું

Published By: Nidhi Panchal

Last Updated: 08:46 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિડનીની હોસ્પિટલમાં દાખલ ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર વિશે નવી માહિતી બહાર આવી છે. સર્જરી બાદ હવે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ શું ખરેખર તેઓ હવે સલામત છે? અને કેટલી ગંભીર હતી તેમની ઈજા? આવો જાણીએ વિગતવાર.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે શ્રેયસ ઐયર અંગે બીજુ મેડિકલ અપડેટ જાહેર કર્યું છે. બોર્ડે જણાવ્યું કે સિડનીની હોસ્પિટલમાં દાખલ શ્રેયસની તબિયત હવે સ્થિર છે અને ધીમે ધીમે સુધરી રહી છે. ત્રીજી ODI દરમિયાન કેચ લેતા સમયે થયેલી ગંભીર ઈજાને કારણે તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

shreyas-2

BCCI મુજબ, 25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચ દરમિયાન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે શ્રેયસ ઐયરને પેટમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજાના કારણે બરોળ (spleen) ફાટી ગઈ હતી અને internal bleeding શરૂ થયો હતો. ડૉક્ટરો દ્વારા તાત્કાલિક તપાસ બાદ રક્તસ્ત્રાવ રોકવામાં આવ્યો અને સર્જરી પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

Shreyas-Iyer-Injury-Update

બોર્ડનું નિવેદન

બોર્ડના નિવેદન મુજબ, “શ્રેયસ ઐયરની હાલત હવે સ્થિર છે અને નિરીક્ષણ હેઠળ છે. મંગળવારે (28 ઓક્ટોબરે) વારંવાર સ્કેન કર્યા બાદ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તે હવે સ્વસ્થ થવાના માર્ગે છે.” BCCIની મેડિકલ ટીમ સિડની તેમજ ભારતના નિષ્ણાતો સાથે મળીને સતત તેમની પ્રગતિ પર નજર રાખી રહી છે.

vtv app promotion

નાની સર્જરી કરવી પડી

એક અહેવાલ મુજબ, શ્રેયસના નજીકના સૂત્રોએ પણ ખાતરી આપી કે તેને નાની સર્જરી કરવી પડી હતી. કેચ લેતી વખતે ડાઇવ મારતાં તે પડી ગયો હતો, જેના કારણે બરોળ ફાટી ગઈ હતી. હાલ તે હોસ્પિટલમાં જ છે અને ઓછામાં ઓછા પાંચ દિવસથી એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવાની શક્યતા છે. સારા સમાચાર એ છે કે શ્રેયસને હવે ICUમાંથી બહાર ખસેડવામાં આવ્યો છે. તે હવે ફોન કોલ્સનો જવાબ આપી રહ્યો છે, સ્થાનિક મિત્રો દ્વારા બનાવેલો ઘરગથ્થુ ખોરાક ખાઈ રહ્યો છે, અને પોતાના રોજિંદા કામકાજ પણ જાતે કરી રહ્યો છે.

આ પણ વાંચો : રોહિત શર્માને લાગ્યો Tesla Model Yનો ચસ્કો, '3015' સ્પેશિયલ નંબર લીધો, જાણો શું થાય છે અર્થ

તેમના પરિવારજનો પણ ટૂંક સમયમાં સિડની જઈને તેમને મળવાની તૈયારીમાં છે. શરૂઆતમાં અનુમાન હતું કે શ્રેયસને લગભગ ત્રણ અઠવાડિયા સુધી રમતથી દૂર રહેવું પડશે, પરંતુ હવે એવી શક્યતા છે કે તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. ભારતીય ચાહકો માટે રાહતભરી વાત એ છે કે સર્જરી બાદ શ્રેયસની તબિયત સુધરી રહી છે, અને જો આવું જ સુધારાનું પ્રમાણ રહે, તો તેઓ ટૂંક સમયમાં ફરી મેદાન પર પાછા ફરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer Injury Update BCCI

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ