ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / રવિન્દ્ર જાડેજા સહિત આ ખેલાડીઓનું CSKમાંથી પત્તુ કપાશે, IPL ઓક્શન પહેલા લિસ્ટ તૈયાર!
Last Updated: 09:35 PM, 13 November 2025
ADVERTISEMENT
રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની છેલ્લી આવૃત્તિ IPL માં ખૂબ જ ખરાબ દેખાવ રહ્યો હતો. ટીમને અનેક હારનો સામનો કરવો પડ્યો હતો અને તે લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. ધોની ઈજાને કારણે મધ્ય સિઝનમાં બહાર થઈ ગયા બાદ ફરીથી ટીમ સાથે જોડાયા હતા, પરંતુ ટીમની સ્થિતિમાં ખાસ સુધારો ન જોવા મળ્યો. આખરે, CSK પોઈન્ટ ટેબલમાં છેલ્લે 10મા સ્થાને રહી, જે ચાહકો માટે મોટો આઘાત હતો.
ADVERTISEMENT

ચેન્નાઈ સુપર કિંગ્સે લીગ તબક્કામાં કુલ ૧૪ મેચ રમી હતી જેમાંથી માત્ર 4 જીત મેળવી શકી અને 10 હાર ભોગવી. ટીમનો નેટ રન રેટ -0.647 રહ્યો, જે દર્શાવે છે કે આખી સિઝનમાં ટીમ કેટલો સંઘર્ષ કરી રહી હતી. હવે ફ્રેન્ચાઇઝી પાસે ટીમને સુધારવાની તક છે અને તે હરાજી પહેલાં ઘણા ખેલાડીઓને રિલીઝ કરી શકે છે.
ADVERTISEMENT
ગયા સિઝનમાં ટીમે મેગા ઓક્શન પહેલાં માત્ર 5 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા, પરંતુ હવે મીની ઓક્શન હોવાથી વધુ ખેલાડીઓને રાખવાની શક્યતા છે. ટીમના અનુભવી સ્પિનર આર. અશ્વિન નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેમને ગયા વર્ષે ₹9.75 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. હવે ટીમ તેમના સ્થાને યોગ્ય વિકલ્પ શોધી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અહેવાલો અનુસાર, CSK ગુજરાત ટાઇટન્સના વોશિંગ્ટન સુંદરને અશ્વિનના સ્થાને લાવવાનો વિચાર કરી રહી છે. જો ગુજરાત ટીમ તેને જાળવી રાખશે નહીં તો, CSK તેની પર બોલી લગાવી શકે છે. તે જ રીતે, રવિન્દ્ર જાડેજાના નામે પણ ચર્ચા છે. રિપોર્ટ મુજબ, CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે. CSK એક ટ્રેડ ડીલ દ્વારા સંજૂ સેમસનને પોતાની ટીમમાં લાવવા ઈચ્છે છે, જે ચાહકો માટે ચોક્કસ રીતે મોટું અચરજ બની શકે છે.
ADVERTISEMENT
રિલીઝ લિસ્ટમાં, CSK રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, દીપક હુડા, અને રાહુલ ત્રિપાઠીને છોડવાનો વિચાર કરી શકે છે. અશ્વિન પહેલેથી જ નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે નાથન એલિસને ટીમ જાળવી રાખવાની શક્યતા છે કારણ કે તેણે તાજેતરમાં ભારત સામેની ટી20 શ્રેણીમાં ઉત્કૃષ્ટ બોલિંગ કરી હતી. ધોનીએ ટીમ મેનેજમેન્ટને પહેલેથી જણાવી દીધું છે કે તે આગામી આવૃત્તિમાં રમશે, જે ચાહકો માટે સૌથી આનંદની વાત છે.
આ પણ વાંચો : IPL 2026 માટે પહેલો ટ્રેડ, શાર્દુલ ઠાકુરે લખનૌ સુપર જાયન્ટ્સ છોડી, હવે આ ટીમ માટે રમશે
ADVERTISEMENT
હાલમાં CSKના પર્સમાં ₹5 લાખ છે, પરંતુ અશ્વિનની નિવૃત્તિ બાદ તેમની ₹9.75 કરોડની રકમ ઉમેરાશે. જો ટીમ કોનવે અને રચિન જેવા ખેલાડીઓને છોડશે, તો તેમનું પર્સ લગભગ ₹30 કરોડ સુધી પહોંચી શકે છે, જે હરાજીમાં નવા મોટા ખેલાડીઓને ખરીદવા માટે પૂરતું છે. IPL 2026 ની મીની હરાજી 15 ડિસેમ્બરે થવાની શક્યતા છે. આ એક દિવસીય ઓક્શન હશે અને ચાહકોની નજર હવે CSKના નવા નિર્ણય પર ટકી છે — શું ધોનીની ટીમ ફરી ચેમ્પિયન બનશે કે ફરી એકવાર નિરાશા મળશે?
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital