બ્રેકિંગ ન્યુઝ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર
રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત
રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ
Last Updated: 07:44 AM, 6 May 2024
દેવોના દેવ મહાદેવની પૂજા કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિને સુખ-શાંતિ પણ મળે છે. ભગવાન શિવની પૂજા માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવતીકાલે એટલે કે 6 મે સોમવાર છે અને આ દિવસે વૈશાખ માસની માસિક શિવરાત્રી પણ ઉજવવામાં આવશે. માસિક શિવરાત્રીનું મહત્વ વધી જાય છે કારણ કે તે સોમવારે આવે છે. આ દિવસે તમે સરળ ઉપાય કરીને ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોમવારે તમે ભગવાન શિવની વિશેષ કૃપા અને આશીર્વાદ મેળવવા માટે લિંગાષ્ટકમ સ્તોત્રનો પાઠ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે જે કોઈ ભક્તિ સાથે આનો પાઠ કરે છે, ભગવાન શિવ તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् ।
जन्मजदुःखविनाशकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥१॥
देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गम् ।
रावणदर्पविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥२॥
सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् ।
सिद्धसुरासुरवन्दितलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥३॥
कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् ।
दक्षसुयज्ञविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥४॥
कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् ।
सञ्चितपापविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥५॥
देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् ।
दिनकरकोटिप्रभाकरलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥६॥
अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् ।
अष्टदरिद्रविनाशितलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥७॥
सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् ।
परात्परं परमात्मकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥८॥
लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ।
शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે કોઈ વિધિ પ્રમાણે લિંગાષ્ટકમ સ્તોત્રનો પાઠ કરે છે, ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તેને જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત વ્યક્તિને ધન અને સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. આ સિવાય જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા અને પરેશાનીઓ થતી હોય તો આનો પાઠ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. આ સ્તોત્રનો પાઠ કરવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે.
વધુ વાંચો : જો તમારા પણ ઘરમાં લાગી ગયા છે કરોળિયાના જાળા, તો તુરંત હટાવી દેજો, શું કહે છે વાસ્તુશાસ્ત્ર
વૈદિક કેલેન્ડર અનુસાર, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દર્શી તિથિ 6 મેના રોજ બપોરે 2:40 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, તે બીજા દિવસે એટલે કે 7 મેના રોજ સવારે 11.40 વાગ્યે સમાપ્ત થશે. આ કારણે વૈશાખ મહિનામાં 6 મેના રોજ માસિક શિવરાત્રી વ્રત રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.