બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોની ઓળખ કરવા માટે થશે DNA ટેસ્ટ, સ્વજનોના બ્લડ સેમ્પલ લેવાયા
Last Updated: 08:51 AM, 26 May 2024
રાજકોટ: રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં 9 બાળકો સહિત 33 લોકો આગમાં હોમાયા છે અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. ત્યારે આ દુર્ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. બેજવાબદારીપૂર્વક ચાલતા વેલ્ડિંગથી આગ ભભૂકી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
ADVERTISEMENT
આ દુર્ઘટનામાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે ગેમ ઝોનના ગ્રાઉન્ડમાં ગો કાર્ટ રેસિંગ માટે 800થી વધુ ટાયર રખાયા હતા. સાથે જ જાણવા મળ્યું છે કે ગેમિંગ ઝોનમાં ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા. આગ લાગી ત્યારે ગેમિંગ ઝોનમાં 300 જેટલા લોકો હાજર હતા. ત્યારે આ અગ્નિકાંડમાં જીવતા ભૂંજાયેલા મૃતકોના DNA ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મૃતકોની ઓળખ માટે પરિવારજનોના લોહીના સેમ્પલ લેવાની ફરજ પડી છે. મૃતદેહોના DNA રિપોર્ટ કર્યા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગ્નિકાંડના ભોગ બનેલા પરિવારજનોનો ધસારો જોઇને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. અગ્નિકાંડનાં ભોગ બનેલા પરિવારજનોને સિવિલ હોસ્પીટલની બહાર ખસેડવામાં આવ્યા છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોનાં મોત થયા છે. ત્યારે જણાવી દઈએ કે 4 વર્ષથી આ TRP ગેમ ઝોન ધમધમતો હતો. આ ઘટના સામે આવી ત્યારથી એ સવાલ પૂછાઈ રહ્યો છે કે શું TRP ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના સાધનો ન હતા..? પરંતુ માહિતી અનુસાર, TRP ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના પૂરા સાધનો હતા. પરંતુ બેદરકારીને કારણે ફાયર સેફટીના સાધનો સીલ પેક હાલતમાં પડ્યા રહ્યા હતા, જેનો ભોગ 33 લોકોએ બનવું પડ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રાજકોટની આગ કેમ વિકરાળ બની? 27 લોકોને રાખ કરનાર બેદરકારીના આ રહ્યા જીવતા સબૂત
ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટના બાદ સુરત, વડોદરા અને અમદાવાદમાં તંત્ર હરકતમાં આવી ગયું છે. મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ ગેમ ઝોનમાં પહોંચી ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી છે. NOC નહીં હોય તેવા ગેમ ઝોન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.