બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

મોટી દુર્ઘટના / દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

Priyakant

Last Updated: 08:11 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Baby Care Centre Fire Latest News : પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે રાત્રે બેબી કેર સેન્ટરમાં ભીષણ આગને કારણે 7 બાળકોના મોત, 5 બાળકો હોસ્પિટલમાં દાખલ તો એક બાળકને વેન્ટિલેટર પર

Delhi Baby Care Centre Fire : રાજકોટ ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં બાળકો સહિત 33 લોકોના મોત બાદ હવે દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો હતો જ્યાં બેબી કેર સેન્ટરમાં ભીષણ આગને કારણે 7 બાળકોના મોત થયા હતા. મોડી રાત્રે 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાંથી 7 બાળકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલમાં 5 બાળકો હોસ્પિટલમાં દાખલ છે એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે, તેમણે આઈટીઆઈ, બ્લોક બી, વિવેક વિહાર વિસ્તાર પાસેના બેબી કેર સેન્ટરમાં રાત્રે 11.32 કલાકે આગ લાગી હોવાની માહિતી મળી હતી. ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઈમારતમાંથી 12 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે,ઈમારતમાંથી 12 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.

વિગતો મુજબ પહેલા માળેથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાંથી 7 બાળકોના હોસ્પિટલમાં મોત થયા હતા અને 5 હજુ પણ દાખલ છે. ICUમાં રહેલા એક બાળકનું આજે સવારે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. બેબી કેર સેન્ટરની બાજુમાં એક બિલ્ડિંગ હતું તે પણ આગની લપેટમાં આવી ગયું હતું પરંતુ સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

બેબી કેર સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર પડેલા છે. આગમાં કેટલાક ઓક્સિજન સિલિન્ડર પણ ફાટ્યા હતા જે સ્થળ પર દેખાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 50 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

વધુ વાંચો : રાજકોટની ખૌફનાક ઘટનાનો LIVE વીડિયો: અંદર એક ભાગમાં ભભૂકી હતી આગ, મચી અફરાતફરી

રાજકોટમાં બાળકો સહિત 33 લોકોના મોત

રાજકોટમાં આગઝરતી ગરમી વચ્ચે ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠી. આ આગ મોતની ચિચિયારીઓ ભરી હતી. કારણ કે, તેમાં અનેક માસૂમો ફસાઈ ગયા હતાં. આગ એટલી નિકરાળ હતી કે, 5 કિલોમીટર સુધી તેના ધુમાડા જોવા મળ્યા અને ફરી એકવાર સુરતના તક્ષશિલા કાંડની યાદો તાજી થઈ ગઈ. જેમાં 33 જિંદગીઓ હોમાઈ ગઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Game Zone Fire Incident Baby Care Centre Fire Delhi Baby Care Centre Fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ