બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / ગેમઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 33 મૃતદેહ મળી આવ્યા, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા

કાર્યવાહી / ગેમઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 33 મૃતદેહ મળી આવ્યા, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા

Last Updated: 10:05 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડમાં 33 માસૂમ બાળકોએ જીમ ગુમાવ્યા બાદ સફાળે જાગેલ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહીનાં આદેશ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા તાત્કાલીક ધોરણે સમગ્ર મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.

રાજકોટમાં અગ્નિકાંડ મામલે સી.એમ. ભૂપેન્દ્ર પટેલે ઘટનાં સ્થળે પહોંચી નીરીક્ષણ કરશે. આ અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે તમામ મૃતકોનાં ડીએનએ ટેસ્ટ કર્યા બાદ ઓળખાણ પ્રક્રિયા થશે. તેમજ હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. તેમજ અત્યાર સુધી 33 લોકોએ જીવ ગુમાવ્યો છે. પોલીસ દ્વારા ગેમીંગ ઝોનનાં માલિક યુવરાજસિંહ સહિત કુલ 5 સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ ઘટના સ્થળે પંચનામું કરવામાં આવ્યું હતું. રાત્રી દરમ્યાન કાટમાળ ખસેડી પંચનામું કરાયું હતું. તેમજ પંચનામા સમયે ઈલેક્ટ્રીક વાયરીંગ, એમસીવી સ્વીચ સહિતની સામગ્રી કબ્જે કરવામાં આવી છે.

પીડિત પરિવારને ન્યાય મળે તે માટે અમે નિષ્પક્ષ રીતે તપાસ કરીશું-સુભાષ ત્રિવેદી

આ સમગ્ર મામલે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે, સમગ્ર ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરાશે. તેમજ ઘટનામાં બાળકોનાં પણ મૃત્યું થયા છે. તેમજ પીડીત પરિવારને ન્યાય મળે તે માટે અને નિષ્પક્ષ રીતે તપાસ કરીશું. મારી સાથે ફોરેન્સિક સાયન્સનાં ડિરેક્ટર સહિતનાં વ્યક્તિઓ ટીમમાં છે. ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને તે માટે પણ અમે અહેવાલ રજૂ કરીશું. આ ઘટનામાં કોણ જવાબદાર, શા માટે મોટી બની સહિતની તપાસ થશે. તેમજ જુદા જુદા વિભાગોની ક્યાં પ્રકારની કામગીરી રહી છે.

vlcsnap-2024-05-26-07h29m39s627

આરોપી અને તેના મળતિયા તરફી કોઈપણ વકીલ કેસ નહીં લડે

રાજકોટમાં ગેમઝોનમાં આગની ઘટના મામલે બાર એસો. દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિયેશન દ્વારા તાત્કાલીક મહત્વનો ઠરાવ કર્યો હતો. જેમાં આરોપી અને તેના મળતિયા તરફી કોઈ વકીલ કેસ નહી લડે.

SITના તમામ સભ્યોને રાજકોટ પહોંચવા સૂચના અપાઈઃ સંઘવી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાં અંગે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં એસઆઈટી ના તમામ સભ્યોને રાજકોટ પહોંચવા સૂચના અપાઈ છે. તેમજ મંજૂરી સહિતના મુદ્દે તપાસ માટે કલેક્ટર કચેરીએ બેઠકો કરાશે. મંજૂરી સહિતના મુદ્દે તપાસ માટે કલેક્ટર કચેરીએ બેઠકો કરાશે. મિસિંગ વ્યક્તિની શોધવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ અગાઉની દુર્ઘટનાનાં આરોપીઓ આજે પણ જેલમાં છે. જેની પણ સંડોવણી હશે. તેની સામે કડક પગલા લેવાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Administration Rajkot Game Zom Tragedy Rajkot Game Zone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ