ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 7 માર્ચે અમદાવાદમાં સંભળાશે સાયરનનો અવાજ, પણ ડરતાં નહીં, જાણો શું કારણ
Last Updated: 10:19 AM, 6 March 2026
ADVERTISEMENT
અમદાવાદમાં 7 માર્ચના રોજ શહેરના આકાશમાં સાયરનનો અવાજ સંભળાવાનો છે. આ અવાજ કોઈ આફત અથવા ઈમરજન્સી માટે નહીં, પરંતુ નવી સાયરન સિસ્ટમના ટેસ્ટિંગ માટે રહેશે. તેથી સાયરનનો અવાજ સંભળાય ત્યારે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી અને તેને માત્ર ટ્રાયલ પ્રક્રિયા જ છે.
ADVERTISEMENT
સાયરન કેમ વગાડવામાં આવશે.
અમદાવાદ કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષખ એ.એ.શેખે જણાવ્યું હતું કે, નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા નવા આધુનિક સાયરનોની ખરીદી કરવામાં આવી રહી છે. આ ખરાદી પહેલા સાયરનની કાર્યક્ષમતા તેમજ તેના અવાજની મર્યાદા ચકાસવા માટે ટેસ્ટિંગ કરવામાં આવનાર છે. આ ટેસ્ટિંગનો મુખ્ય હેતુ આપતકાલિન સ્થિતિમાં સાયરન કેટલા અસરકારક છે તે ચકાસવાનો છે.
ADVERTISEMENT

ટેસ્ટિંગ ક્યાં કરવામાં આવશે
ADVERTISEMENT
લાલ દરવાજા કે તેની આસપાસના વિસ્તારમાં તમે રહેતા હોવ અથવા ત્યાંથી જવાના હોવ તો 07 માર્ચ 2026ના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે હોમગાર્ડ્ઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ. આ બે કલાક દરમિયાન સમયાંતરે અવાર-નવાર સાયરન વગાડવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારે જરૂરી દવાની યાદીમાં ફેરફાર કર્યો, 150 દવાનો ઉમેરો, કુલ થઈ 1479
ADVERTISEMENT
તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સાયરન કોઈ દુર્ઘટના કે કટોકટીનો સંકેત નથી. જેથી કોઈએ પણ કોઈ પ્રકારની અફવા પર ધ્યાન આપવું નહીં. લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે અગાઉથી જાણ કરવામાં આવી છે. તેમજ નવા આધુનિક સાયરન આવવાથી ભવિષ્યમાં કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે ઉપયોગ કરી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.